'વાજપાયી અડવાણી વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના પુરાવા'

ન્યુઝ ચેનલ સીએનએન-આઇબીએનના એક કાર્યક્રમમાં દિગ્વિજયે કહ્યું કે તેમની પાસે આ બન્ને વરિષ્ઠ નેતા અને ભાજપને શરમજનક પરિસ્થિતિમાં મુકવા માટેના પુરતા પુરાવા છે. સ્પષ્ટ રીતે દિગ્વિજયના નિશાના પર વાજપેયીના દત્તક જમાઇ અને અડવાણીની પુત્રી હતા.
એક પ્રશ્નના જવાબમાં દિગ્વિજયે કહ્યું કે તે 40 વર્ષથી રાજકારણમાં છે. તેવામાં તેમના સંબંધીઓ શું કરે છે, તેની સાથે તેમને કોઇ સંબંધ નથી. દિગ્વિજયે કહ્યું કે તેમની ચાર પુત્રીઓ અને ચાર જમાઇ છે. તે શું કરે છે તે તેમનાથી સંબંધિત નથી.
દિગ્વિજયના નિવેદન પર ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોંગ્રેસ અહંકારના નશામાં ડુબેલી છે. દેશની સત્તાધારી પાર્ટીએ છૂટેલા કારતૂસનો ઉપયોગ કરવાનું બંધ કરીને પોતાના મગજનો ઉપયોગ કરવો જોઇએ, જેથી તેમની બગડેલી છબીને તેઓ થોડીક સુધારી શકે.












Click it and Unblock the Notifications
