Exit Poll Reactions: એક્ઝિટ પોલ પર આવી છે કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
Exit Poll Reactions: એક્ઝિટ પોલ પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે એક્ઝિટ પોલ પર ટિપ્પણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએ સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા સુપ્રિયાએ X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, જનતાના એક્ઝિટ પોલ સાચા હશે. મોદી સરકારના એક્ઝિટ પોલ જૂઠાણા છે.

મને કોઈ એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથી - કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, હું પુનરોચ્ચાર કરું છું કે મને કોઈ એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથી. હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કર્ણાટકમાં બે આંકડાને પાર કરીશું.
ભૂપેશ બઘેલે એક્ઝિટ પોલ પર કહ્યું કે, 4 જૂને પરિણામ પણ આવશે, અત્યારે પ્રશ્ન TRPનો છે.
શશિ થરુરે એક્ઝિટ પોલ પર કહ્યું કે, અમે દેશભરમાં પ્રચાર કરી રહ્યા છીએ અને અમે જાણીએ છીએ કે જમીની વાસ્તવિકતા શું છે. એક્ઝિટ પોલ સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક છે.












Click it and Unblock the Notifications
