Exit Polls: 2009, 2014 અને 2019ની ચૂંટણીઓમાં કેટલા સાચા પડ્યા એક્ઝીટ પોલના આંકડા?
Exit Polls: દેશમાં 18મી લોકસભા ચૂંટણીનું મતદાન આજે સમાપ્ત થશે. 1 જૂનના રોજ સાંજે 6 વાગ્યે મતદાનના છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયા પછી તરત જ એક્ઝિટ પોલના પરિણામો આવવાનું શરૂ થઈ જશે.
વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે પરથી જીત અને હારનો અંદાજ લગાવવામાં આવશે. જો કે વાસ્તવિક સ્થિતિ 4 જૂને મતગણતરી બાદ જાણી શકાશે.

એક્ઝિટ પોલના પરિણામો, જે મતદાન કર્યા પછી થોડા લોકોના મતદાનના આધારે તૈયાર કરવામાં આવે છે, તે હંમેશા સાચા હોતા નથી. છેલ્લી ચાર લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામો વચ્ચે તફાવત જોવા મળ્યો છે. છેલ્લા બે વખત એનડીએની જીતની આગાહી કરવામાં મોટાભાગના એક્ઝીટ પોલ સાચા હતા, પરંતુ વિજયની સીમાનુ અનુમાન લગાવવામાં નહોતા. 2009માં, જ્યારે યુપીએ જીતી ત્યારે માર્જિન અનુમાન કરતાં ઘણું વધારે હતું.
2014ની લોકસભાની ચૂંટણી 7 એપ્રિલથી 12 મેની વચ્ચે યોજાઈ હતી, જેમાં 16 મેના રોજ પરિણામો જાહેર થયા હતા, 2019ની ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી યોજાઈ હતી અને પરિણામો 23 મેના રોજ આવ્યા હતા.
2014માં, સરેરાશ આઠ એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 283 બેઠકો અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને 105 બેઠકો મળવાનો અંદાજ હતો - તે વર્ષે 'મોદી લહેર'ની સીમાનો અંદાજ કાઢવામાં નિષ્ફળ રહી, જેમાં એનડીએ 336 બેઠકો સાથે પૂર્ણ થયું અને યુપીએને માત્ર 60 સીટો મળી હતી. આમાંથી ભાજપને 282 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી.
2019માં, સરેરાશ 13 એક્ઝિટ પોલમાં NDAની સંયુક્ત સંખ્યા 306 અને UPAની 120 બતાવી - ફરીથી NDAના પ્રદર્શનને ઓછુ આંકવામાં આવ્યુ, જેણે કુલ 353 બેઠકો જીતી હતી. યુપીએને 93 બેઠકો મળી હતી. જેમાંથી ભાજપને 303 અને કોંગ્રેસને 52 બેઠકો મળી હતી.
2009માં પણ જ્યારે યુપીએ ફરી સત્તામાં આવી ત્યારે સરેરાશ ચાર એક્ઝિટ પોલમાં વિજેતાની સંખ્યાને ઓછી આંકવામાં આવી હતી. તેઓએ યુપીએને 195 અને એનડીએને 185 બેઠકો આપી. એનડીએની 158 સીટોની સરખામણીમાં યુપીએ છેલ્લે 262 સીટો સાથે જીતી હતી. આમાંથી કોંગ્રેસને 206 સીટો અને ભાજપને 116 સીટો મળી હતી.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
