Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Explainer: ચંદ્ર પર ઉતર્યા બાદ શું-શું કરશે ચંદ્રયાન 3, જાણો વિગતવાર

ભારતે શુક્રવારે એલવીએમ3-એમ4 રોકેટ દ્વારા પોતાના ત્રીજા મિશન- 'ચંદ્રયાન-3'નું સફળ લૉન્ચ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ચાંદાની સપાટી પર ફરી એકવાર સૉફ્ટ લેન્ડિંગનો પ્રયત્ન કરવામાં આવશે.

તેમાં સફળતા મળતા જ ભારત આવી ઉપલબ્ધી હાંસલ કરી ચૂકેલા અમેરિકા, પૂર્વ સોવિયેટ સંઘ અને ચીન જેવા દેશના ક્લબમાં સામેલ થઇ જશે અને આવા પ્રકારનું કીર્તિમાન સ્થાપિત કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. અંતરિક્ષ યાને ઉડાણ ભરી ત્યારથી 1 મહિના બાદ ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પહોંચશે. આશા છે કે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે.

chandrayaan 3

ચંદ્રયાન 3નો મુખ્ય ઉદ્દેશ્ય
ચંદ્રયાન 3 શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી LVM3 રોકેટ દ્વારા અંતરિક્ષમાં લૉન્ચ કરવામાં આવ્યું. એકવાર ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ મૉડ્યૂઅલથી અલગ થઇ જશે અને ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગનો પ્રયત્ન કરશે.

ચંદ્રયાન-3, ચંદ્રયાન-2નું અનુવર્તી મિશન છે જે ચંદ્રમા પર એક અંતરિક્ષ યાન ઉતારવા અને ચંદ્રની સપાટી જાણવા માટે એક રોવર તૈનાત કરશે. રોવર ચંદ્રની સંરક્ચના અને ભૂવિજ્ઞાન પર ડેટા એકત્રિત કરશે.

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે, "પાછલા ચંદ્રયાન-2 મિશનમાં મુખ્ય કમી એ હતી કે સિસ્ટમમાં ઑફ-નોમિનલ સ્થિતિઓ શરૂ કરવામમાં આવી હતી. બધું નામ માત્રનું નહોતું અને યાન સુરક્ષિત લેન્ડિંગ માટે ઑફ-નોમિનલ સ્થિતિને સંભળવામાં સક્ષમ નહોતું."

ચંદ્ર પર અંતરિક્ષ યાન ઉતારવાના પોતાના પ્રાથમિક લક્ષ્ય ઉપરાંત ચંદ્રયાન-3 ચંદ્રમાના ઈતિહાસ, ભૂવિજ્ઞાન અને સંસાધનોની ક્ષમતા સહિત ચંદ્રમાના પર્યાવરણનું અધ્યયન કરવા માટે વૈજ્ઞાનિક પ્રયોગ પણ કરશે.

ચંદ્રની માટીનું અધ્યયન કરવા અને ચંદ્રની કક્ષાથી પૃથ્વીની તસવીરો પાડવા માટે ચંદ્રયાન-3 પોતાની સાથે 6 પેલોડ લઇ જઇ રહ્યું છે. લેન્ડિંગ બાદ પોતાના 14 દિવસીય મિશન (એક ચંદ્ર દિવસ) દરમિયાન, ચંદ્રયાન-3 પોતાના પેલોડ રંભા અને આઈએલએસએનો ઉપયોગ કરી અભૂતપપૂર્વ પ્રયોગોની એક શ્રૃંખલા આયોજિત કરશે. આ પ્રયોગ ચંદ્રમાના વાયુમંડળનું અધ્યયન કરશે અને તેની ખનિજ સંરચનાને સારી રીતે સમજવા માટે સપાટી ખોદશે.

લેન્ડર વિક્રમ રોવર પ્રજ્ઞાનની તસવીરો લેશે જે ચંદ્રની ભૂકંપીય ગતિવિધિઓનું અધ્યયન કરવા માટે પોતાના ઉપકરણો તૈનાત કરશે. પ્રજ્ઞાન પોતાના લેજર બીમનો ઉપયોગ ચંદ્રની સપાટીના એક ટૂકડાને ઓગાળવા માટે કરશે, જેને રેગોલિથ કહેવાય છે, અને આ પ્રક્રિયામાં ઉત્સર્જિત ગેસનું વિશ્લેષણ કરશે.

આ મિશનના માધ્યમથી ભારત ના માત્ર ચંદ્રની સપાટી વિશે જ્ઞાનનો ખજાનો હાંસલ કરશે, બલકે ભવિષ્યમાં માનવ નિવાસ માટે તેની ક્ષમતા પણ જાણશે. ઈસરો પ્રમુખ એસ સોમનાથે કહ્યું કે ભૂમધ્ય રેખા પાસેનું સ્થાન માનવ રહેણાંક માટે લાયક હોવાની સંભાવના વધુ છે.

અન્ય એક પેલોડ, રેડિયો એનાટૉમી ઑફ મૂન બાઉન્ડ હાઇપરસેંસિટિવ આયનોસ્ફીયર એન્ડ એટમૉસ્ફિયર (RABHA), ચંદ્ર સપાટી પાસે ચાર્જ કણોની ઘનતા માપશે અને સમય સાથે તે કેવી રીતે બદલે છે તે જાણશે.

આ ઉપરાંત આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (એપીએક્સએસ) રાસાયણિક સંરચના માપશે અને ચંદ્રની સપાટીની ખનિજ સંરચનાનું અનુમાન લગાવશે, જ્યારે લેજર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) ચંદ્રની માટીની મૌલિક સંરચના નિર્ધારિત કરશે.

ચંદ્રની ઠંડી રાતના તાપમાન-232 ડિગ્રી સેલ્સિયસથી બચવા માટે ચંદ્રયાન-3 રાત થતા પહેલા પોતાના ચંદ્ર લેન્ડરને ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર 70 ડિગ્રી અક્ષાંશ પર મોકલશે. અંતરિક્ષ યાન 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X