દિલ્હીમાં સેનાનું વિસ્ફોટક મળતા ચકચાર

કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ પર એક રાહગીરની નજર પડી ત્યારબાદ તેણે પોલીસને માહિતી આપી. પોલીસને આ ત્રણ ખોખા શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની તપાસ કરતા ખબર પડી કે તેમાં વિસ્ફોટક છે, બાદમાં પોલીસે આ અંગેની જાણ સેનાને પણ કરી.
જોકે આ વિસ્ફોટક અંગેની માહિતી મળતા બોમ્બ સ્ક્વોડ ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી, અને સમગ્ર વિસ્તારનો ઘેરો ઘાલી દેવામાં આવ્યો હતો. જોકે તે સમયે પોલીસે આ વિસ્ફોટકોને રેતની બોરીઓથી ઢાંકી દીધું હતું. જોકે હજી સુધી એ વાત રહસ્ય જ છે કે આ વિસ્ફોટકો અહીં કેવી રીતે આવ્યા.
પોલીસને વિસ્ફોટકોનું અહીં હોવાના કારણે એવી શંકા છે કે કોઇ ચોક્કસ ઉદ્દેશ્યને પાર પાડવા માટે આ વિસ્ફોટકોને અત્રે મૂકવામાં આવ્યા હતા. જોકે સેનાના અધિકારીઓએ જણાવ્યું કે જો વિસ્ફોટકોને જો ટ્રેન દ્વારા મોકલામાં આવે છે તો તેની જવાબદારી રેલવે વિભાગની હોય છે.












Click it and Unblock the Notifications
