દિલ્હીમાં સેનાનું વિસ્ફોટક મળતા ચકચાર
કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ પર એક રાહગીરની નજર પડી ત્યારબાદ તેણે પોલીસને માહિતી આપી. પોલીસને આ ત્રણ ખોખા શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની તપાસ કરતા ખબર પડી કે તેમાં વિસ્ફોટક છે, બાદમાં પોલીસે આ અંગેની જાણ સેનાને પણ કરી.
જોકે આ વિસ્ફોટક અંગેની માહિતી મળતા બોમ્બ સ્ક્વોડ ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી, અને સમગ્ર વિસ્તારનો ઘેરો ઘાલી દેવામાં આવ્યો હતો. જોકે તે સમયે પોલીસે આ વિસ્ફોટકોને રેતની બોરીઓથી ઢાંકી દીધું હતું. જોકે હજી સુધી એ વાત રહસ્ય જ છે કે આ વિસ્ફોટકો અહીં કેવી રીતે આવ્યા.
પોલીસને વિસ્ફોટકોનું અહીં હોવાના કારણે એવી શંકા છે કે કોઇ ચોક્કસ ઉદ્દેશ્યને પાર પાડવા માટે આ વિસ્ફોટકોને અત્રે મૂકવામાં આવ્યા હતા. જોકે સેનાના અધિકારીઓએ જણાવ્યું કે જો વિસ્ફોટકોને જો ટ્રેન દ્વારા મોકલામાં આવે છે તો તેની જવાબદારી રેલવે વિભાગની હોય છે.