અશ્લીલ ગણાવી ફેસબુકમાંથી હટાવી જૈન મુનિની તસવીર
રાયપૂર, 26 જૂન : જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે જૈન ધર્મના મુનિઓ નિર્વસ્ત્ર રહે છે, જેની પાછળ ધાર્મિક સંકલ્પ અને આસ્થા જોડાયેલી છે. પરંતુ આ વાત ફેસબુકને આ વાત હજમ ના આવી અને તેણે જૈન મુનિની તસવીરને અશ્લીલ ગણાવી એકાઉન્ટમાંથી હટાવી દીધી. ફેસબુક આવી ભૂલ આ પહેલા પણ કરી ચૂક્યો છે. આ પહેલા અસમના એક સૂતિયા સમાજનું એકાઉન્ટ અશ્લીલ ગણાવી ડિલીટ કરી દેવાયું હતું.
ફેસબુકના આ કૃત્યથી છત્તીસગઢનો જૈન સમાજ ખૂબ નારાજ છે. ફેસબુકે જૈનોનાના દિગંબર પંથી મુનિની તસવીરોને અશ્લીલ ગણાવી પહેલા તેના એકાઉન્ટ હોલ્ડરને ચેતવણી મોકલી. બાદમાં એ તસવીરને ડિલીટ કરી દીધી. એટલું જ નહીં અપલોડ કરનાર એકાઉન્ટને બ્લોક કરવાની ચેતવણી પણ આપી છે. ફેસબુકની આ કાર્યવાહી અને ટિપ્પણીથી છત્તીસગઢનો જૈન સમાજ ભારે નારાજ છે. સમાજના પદાધિકારીઓએ ફેસબુકની કાર્યવાહીને નિંદનીય ગણાવતા તેની પર ગંભીર આપત્તિ વ્યક્ત કરી છે.
રાયપૂરના જશપૂરના કુનકુરી રહેવાસી અંશુલ રારાએ 17 જૂનના રોજ મુનિ પુણ્યનંદીજીના ત્રણ ફોટા પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી અપલોડ કર્યા. ફોટો અપલોડ કર્યાના થોડા સમય બાદ જ ફેસબુક ટીમે અંશુલને એક નોટીસ મોકલી, જેમાં મુનિના ફોટા અશ્લીલ અને વાંધાજનક ગણાવી તેને પોતાના એકાઉન્ટમાંથી હટાવી લેવા માટે જણાવ્યું. ફેસબુકે તેનું એકાઉન્ટ 48 કલાક માટે સસ્પેન્ડ પણ કરી દીધું અને ભવિષ્યમાં આવા ફોટા લોડ કરવા પર એકાઉન્ટને હંમેશ માટે બ્લોક કરવાની ચેતવણી પણ આપી. આ અંગેની જાણકારી અંશુલે તેના સમાજના લોકોને પણ આપી.

અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ બે વર્ષ પહેલા ફેસબુકે આસામના સાંસ્કૃતિક સંગઠન સાથે જોડાયેલ વિદ્યાર્થી સંગઠન સૂતિયાનું એકાઉન્ટ માત્ર એટલા માટે ડિલીટ કરી નાખ્યું કારણ કે અંગ્રેજીમાં સૂતિયાની સ્પેલિંગ અશ્લીલ શબ્દ સાથે મળે છે. ખરેખરમાં અંગ્રેજીમાં સૂતિયા કમ્યુનિટીને 'Chutiya community' લખવામાં આવે છે.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
