Fact Check: શું દીવા અને મિણબત્તીથી ગરમીથી ખતમ થશે કોરોના વાયરસ? જાણો સત્ય
પીએમ મોદીના આ સંદેશ બાદ હવે સોશિયલ મીડિયા પર વિચિત્ર દાવા થવા લાગ્યા છે. જાણો તેનુ સત્ય.
દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લૉકડાઉન વચ્ચે કાલે એટલે કે રવિવારે રાતે 9 વાગે દેશવાસીઓને દીવા, મિણબત્તી અને મોબાઈલની ફ્લેશલાઈટ ચલાવવાની અપીલ કરી છે. પીએમ મોદીના આ સંદેશ બાદ હવે સોશિયલ મીડિયા પર વિચિત્ર દાવા થવા લાગ્યા છે. વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવી રહ્યુ છે કે દીવો અને મિણબત્તી કર્યા બાદ તેમાંથી પેદા થતી ગરમીથી કોરોના વાયરસ ખતમ થઈ જશે.

ભારત સરકારે કર્યુ ખંડન
તમને જણાવી દઈએ કે ભારત સરકારે આવા બધા દાવાઓનુ ખંડન કરીને કહ્યુ કે લોકો અફવાઓ અને અવૈજ્ઞાનિક તર્કો પર ભરોસો ન કરે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 2500થી પણ વધુ થઈ ગયા છે. વળી, આ મહામારીથી દેશમાં કુલ 69 લોકોના જીવ જઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના વાયરસના કેસ વધવાના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર અમુક અસામાજિક તત્વો તેમના ડરનો લાભ લઈને ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે.

પીએમ મોદીએ વીડિયોમાં આપ્યો હતો સંદેશ
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ શુક્રવારે એક વીડિયો સંદેશ જારી કરીને લોકોને અપીલ કરતા કહ્યુ હતુ કે પીએમ મોદીએ લોકોને અપીલ કરી, 'આ રવિવારે 5 એપ્રિલને બધાએ મળીને, કોરોનાના સંકટને અંધકારને પડકારવાનો છે, તેને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. આ 5 એપ્રિલે આપણે 130 દેશવાસીઓની મહશક્તિનુ જાગરણ કરવાનુ છે. ઘરની બધી લાઈટો બંધ કરીને, ઘરના દરવાજા પર કે બાલકનીમાં ઉભારહીને 9 મિનિટ માટે મિણબત્તી, દીવો, ટૉર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ કરો. અને એ વખતે જો ઘરની બધી લાઈટો બંધ કરશો, ચારે તરફ જ્યારે દરેક વ્યક્તિ એક-એક દીવો કરશે, ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અહેસાસ થશે, જેમાં એક જ હેતુથી આપણે બધા લડી રહ્યા છે, તે દેખાશે.'

ભારત સરકારે કરી આ અપીલ
પીએમના આ સંદેશ બાદથી સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવવા લાગ્યા કે રવિવારે રાતે 9 વાગે એક સાથે કરોડો દીવા અને મિણબત્તી કરવાથી તેમાંથી નીકળતી ગરમીથી કોરોના વાયરસ ખતમ થઈ જશે. વાયરલ થઈ રહેલા મેસેજમાં લોકોને આ સંદેશ આગળ શેર કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. જો કે ભારત સરકારે આવા કોઈ પણ દાવાને સંપૂર્ણપણે નકારીને તેને ખોટો ગણાવ્યો છે. અને લોકોને અપીલ કરી છે કે કોરોના સંકટની ઘડીમાં આવી અફવાઓથી બચે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
