મુસ્લિમ સમુદાય સુધી પહોંચવામાં ખામી રહી હશેઃ રાજનાથ સિંહ

Google Oneindia Gujarati News

રાંચી, 2 એપ્રિલઃ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે મંગળવારે કહ્યું કે વિપક્ષ દ્વારા તેમની પાર્ટીને સાંપ્રદાયિક ગણાવવામાં આવતા તેમને દુઃખ થાય છે, સાથે જ તેમણે માન્યુ કે મુસ્લિમ સમુદાય સુધી પહોંચવામાં તેમના તરફથી કેટલીક ખામી રહી ગઇ હશે.

rajnath-singh-loksabha-014
એક બેઠકને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે, અમે જાતિ, ધર્મ અને ભાષા આધારિત રાજકારણ નથી કરતા. રાજકારણ અમારા માટે માનવસેવા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે.

ભાજપ અધ્યક્ષે કહ્યુંકે, અમે વસુધૈવ કુટુમ્બકમની ધારણામાં વિશ્વાસ રાખીએ છીએ. હું સ્વીકારું છું કે મુસ્લિમ સમુદાય સુધી પહોંચવામાં અમારાથી કદાચ કેટલીક ખામીઓ રહી ગઇ હશે. રાજનાથે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે આ પાર્ટી પોતાના શાસનકાળમાં ષડયંત્રો હેઠળ મુસ્લિમ સમુદાયોને શિક્ષા સુવિધાથી વંચિત રાખ્યાં છે.

રાજનાથે કહ્યું કે, એ અટલ બિહારી વાજયાપી જ હતા કે જેમણે મુસ્લિમો માટે હજ સુવિધા શરૂ કરી હતી.

English summary
BJP president Rajnath Singh on Wednesday said it hurts him when opponents describe the party as communal but admitted that there may have been some flaws on their part in reaching out to Muslims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X