Fake news: બોની કપૂર વિષે ચાલતી આ ખબરથી બચીને રહેજો
બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવી ની મૌતના મામલે દુબઇ પોલીસે બોની કપૂર ને ઘણા સવાલો પૂછ્યા.
બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવી ની મૌતના મામલે દુબઇ પોલીસે બોની કપૂર ને ઘણા સવાલો પૂછ્યા. ગલ્ફ ન્યુઝ ઘ્વારા સોમવારે ખબર આવી હતી કે બોની કપૂરની સાઢા ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર બોની કપૂર સાથે પૂછતાછ હજુ પુરી થયી નથી. એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી તેમને પરમિશન નહીં આપે ત્યાં સુધી તેઓ દુબઇ છોડી શકશે નહીં. જો કે આ મામલે હવે સ્પષ્ટતા આવી છે કે આ ખબર ખોટી હતી. ચોક્કસથી આ મામલે ત્યાંની પોલીસે બોની કપૂરની પુછપરછ કરી હતી. પણ હવે આ મામલે તેમને સંતોષકારક જવાબ મળતા. તેમને બોની કપૂરને પણ મુંબઇ જવા દીધા છે. જો કે આ પહેલા પીટીઆઈ ઘ્વારા પણ ખબર આવી રહી છે કે શ્રીદેવી ની મૌત કેસ મામલે સંદીપ મારવાહના પરિવાર સાથે પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. સંદીપ મારવાહ શ્રીદેવી ના સંબંધમાં આવે છે અને તેમના જ દીકરા મોહિત મારવાહ ના લગ્નમાં હાજરી આપવા માટે તેઓ દુબઇ આવ્યા હતા.

હોટેલના સીસીટીવી ચેક કરી રહી પોલીસ
આ પહેલા દુબઇ પોલીસે શ્રીદેવી મોત મામલો સોમવારે સરકારી વકીલને સોંપ્યો હતો. તે સમયે કહેવામાં આવ્યું હતું એ સરકારી વકીલ આગળની પ્રક્રિયા પુરી કરશે. સરકારી વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો જરૂર લાગી તો તપાસ આગળ પણ ચાલુ રહેશે. હવે ખબર આવી રહી છે કે પોલીસ હોટેલ સ્ટાફની પૂછપરછ કરી રહી છે અને સીસીટીવી કેમેરા પણ ચેક કરી રહી છે.

બોની કપૂરે શ્રીદેવી ના મૌતની સૂચના આપી
બોની કપૂરે જ શ્રીદેવી ના મૌતની સૂચના દુબઇ પોલીસના ચાર વરિષ્ટ અધિકારીઓને આપી હતી. જ્યાર પછી દુબઇ પોલીસે બોની કપૂરનું નિવેદન નોંધ્યું હતું. જો કે બીજી તરફ ઘણા મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે આખી પ્રક્રિયા સાઢા ત્રણ કલાક સુધી ચાલી હતી. ખલીઝ ટાઈમ્સ રિપોર્ટ અનુસાર જે સમયે શ્રીદેવી નું મૃત્યુ થયું તે સમયે બોની કપૂર રૂમમાં હાજર હતા.

આવી પણ ખબરો ચર્ચાનું કેન્દ્ર બની હતી
પરંતુ એક અન્ય રિપોર્ટમાં દાવો કર્યો છે કે શ્રીદેવીની મૌત સમયે બોની કપૂર ત્યારે હતા જ નહીં. રિપોર્ટ અનુસાર શ્રીદેવી રૂમમાં એકલી હતી. તેમને રાત્રે લગભગ 10.30 વાગ્યે રૂમ સર્વિસને ફોન કરી પાણી મંગાવ્યું. જયારે 15 મિનિટ પછી વેટર પાણી લઈને આવ્યો ત્યારે ઘણીવાર બેલ વગાડવા પછી પણ રૂમનો દરવાજો ખુલ્યો નહીં. શ્રીદેવી એ દરવાજો ખોલ્યો નહીં એટલે વેટરને ચિંતા થયી અને તેને એલાર્મ વગાડ્યો. એલાર્મ સાંભળીને સ્ટાફે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે શ્રીદેવી જમીન પર પડી હતી.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
