સિંધુ બોર્ડર પર ખેડૂતોએ બોર ખોદ્યા, ભાજપે ગણાવ્યા અરાજક

સિંધુ બોર્ડર પર ખેડૂતોએ બોર ખોદ્યા, ભાજપે ગણાવ્યા અરાજક

કેન્દ્ર સરકારના નવા કૃષિ બિલને લઈ દિલ્હીની સીમાઓ પર ખેડૂત પ્રદર્શન ચાલી રહ્યું છે. ગાજીપુર બોર્ડર અથવા તો સિંધુ બોર્ડર ખેડૂતોના પ્રદર્શનનું બેસ બન્યું છે. જે જાણકારી મળી રહી છે તે મુજબ સ્થાનિક પ્રશાસન, સરકાર અને લોકલ લોકોથી નિરાશ થઈ પ્રદર્શનકારી ખેડૂતોએ સિંધુ બોર્ડર પર બોરવેલ ખોદી નાખી છે. અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ સિંધુ બોર્ડર પર જ્યાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં ત્રણ બોરવેલ ખોદવામાં આવ્યા છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા મનજીત સિંહ રાયે ટાઈમ્સ નાઉ સાથે વાતચીતમાં કહ્યું કે અમે ત્રણ બોરવેલ ખોદી રહ્યા છીએ. એક પહેલેથી ખોદવામાં આવી છે અને અન્ય બે ખોદવામાં આવી રહ્યા છે.

Farmers Protest

બોરવેલ ખોદી લેવા માટે મંજૂરી લેવાના સવાલ પર રાયે કહ્યું કે સરકારે સિંધુ બોર્ડર પર ખેડૂતોને રોકી લીધા. તેમણે કહ્યું કે અમે કંઈપણ ખોટું નથી કરી રહ્યા. સરકારે અમને રામલીલા જવાથી રોક્યા છે. અમારા ખાવા પિવાને લઈ સરકાર કંઈ નથી વિચારતી. અમે ભૂખથી ના મરી શકીએ. અમારે કંઈક કરવું પડશે, જે અમે કર્યું. અન્ય એક ખેડૂત નેતા સંત મોહન સિંહે કહ્યું કે ખેડૂતો બોરવેલના નિર્માણ માટે મજબૂર હતા કેમ કે સરકાર ખેડૂતોને પાણી નથી આપી રહી. આ દરમ્યાન ભાજપે ખેડૂતોને બોરવેલ ખોદવા પર રોક્યા છે. ભાજપના પ્રવક્તા આરપી સિંહે કહ્યું, "આ અરાજકતા સ્પષ્ટ મામલો છે. બોરવેલ આવી રીતે ના ખોદી શકાય. પોલીસે આ ખેડૂતોથી નિપટવું પડશે."

જણાવી દઈએ કે ખેડ઼ૂતો ત્રણ મહિનાથી પણ વધુ સમયથી દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું કે ત્રણ કૃષિ કાનૂન, કિસાન ઉત્પાદન અને વ્યાપાર અને વાણિજ્ય અધિનિયમ, જરૂરી વસ્તુ અધિનિયમ અને કિસાન મૂલ્ય આશ્વાસન અને ફાર્મ સેવા અધિનિયમ પર સમજૂતી, પરત લેવામાં આવે. સરકારે કહ્યું કે તેઓ આ કાનૂનમાં સંશોધન કરવા માટે તૈયાર છે, પરંતુ તે નિરસ્ત નહિ કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X