Farmers Protest: 6 માર્ચથી 'દિલ્લી ચલો'ની તૈયારી, 10મીએ રેલ રોકો આંદોલન, જાણો શું છે આગળની રણનીતિ
Farmers Protest News: દિલ્હીમાં પ્રવેશવામાં નિષ્ફળ ગયેલા ખેડૂતોએ ફરી એકવાર તેમના આંદોલનની રણનીતિ તૈયાર કરી છે. 13 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ખેડૂતોની 'દિલ્હી માર્ચ' હરિયાણાની શંભુ સરહદથી આગળ વધી શકી નથી. આવી સ્થિતિમાં હવે ખેડૂત સંગઠનોએ તેમની માંગણીઓને લઈને નવી રણનીતિ તૈયાર કરી છે.
ખેડૂત નેતાઓ સરવન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલે રવિવારે (03 માર્ચ) દેશભરના ખેડૂતોને વિરોધ કરવા માટે 6 માર્ચે દિલ્હી પહોંચવાની અપીલ કરી હતી. આ સાથે ખેડૂત નેતાઓએ આંદોલનના સમર્થનમાં 10 માર્ચે દેશભરમાં ચાર કલાક માટે 'રેલ રોકો' આંદોલનનું પણ આહ્વાન કર્યું છે.

ખેડૂત નેતાઓએ કહ્યું કે પંજાબ અને હરિયાણાની સરહદ પર પડાવ નાખનારા ખેડૂતો 6 માર્ચે "શાંતિપૂર્ણ રીતે" દિલ્હી તરફ કૂચ શરૂ કરશે. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે વિરોધ કરી રહેલા ખેડૂતો 10 માર્ચે બપોરે 12થી 4 વાગ્યા સુધી દેશવ્યાપી 'રેલ રોકો' સાથે તેમનું આંદોલન ફરી શરૂ કરશે.
વાસ્તવમાં, પંઢેર અને દલ્લેવાલ પંજાબના બલોહ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ તાજેતરમાં અથડામણ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતના પૈતૃક સ્થળની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર તેમની માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી ખેડૂતો હાલના વિરોધ સ્થળો પર તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવશે.
ખેડૂત આગેવાન પંઢેરે જણાવ્યું હતું કે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. દૂર-દૂરના રાજ્યોના ખેડૂતો, જેઓ ટ્રેક્ટર ટ્રોલી પર પહોંચી શકતા નથી, તેમણે ટ્રેન અને પરિવહનના અન્ય માધ્યમો દ્વારા દિલ્હી જવું જોઈએ.
તેમણે કહ્યું કે આનાથી એ પણ સ્પષ્ટ થશે કે શું સરકાર એવા ખેડૂતોને પ્રવેશ આપે છે કે જેઓ ટ્રેક્ટર ટ્રોલી વગર જાય છે. શંભુ અને ખનૌરીમાં આંદોલન પહેલાની જેમ જ ચાલુ રહેશે અને તેને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પંજાબની તમામ પંચાયતોએ ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં ઠરાવ પસાર કરવો જોઈએ, તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર તેમની 'દિલ્હી ચલો' કૂચને રોકવા માટે "તમામ યુક્તિઓ" નો ઉપયોગ કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે યુનાઈટેડ કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 200થી વધુ ખેડૂત સંગઠનો દ્વારા 'દિલ્હી ચલો' માર્ચ 13 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી, જે કેન્દ્ર પર અનેક માંગણીઓ સ્વીકારવા માટે દબાણ બનાવવા માટે શરૂ થઈ હતી. જો કે, સુરક્ષા દળોએ તેમનુ આંદોલન રોકી દીધા બાદ વિરોધ કરી રહેલા ખેડૂતો પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર અટવાયેલા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
