ખેડૂત આંદોલન પર સીએમ ભગવંત માને કહ્યુ - પંજાબ સરકાર ખેડૂતો સાથે મક્કમતાથી ઉભી છે, હૉસ્પિટલોને કરી એલર્ટ
Punjab News: ભાજપ શાસિત હરિયાણાએ પંજાબના ખેડૂતોને દિલ્હી તરફ આગળ વધતા રોકવા માટે પંજાબ સરહદ પર બેરિકેડ લગાવ્યા, જેના કારણે મંગળવારે ભીષણ અથડામણ, લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા.
પંજાબના ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે શંભુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો હરિયાણા પોલીસ સાથે સામસામે આવી ગયા હતા અને ટીયર ગેસના શેલ છોડવાને કારણે તણાવ વધુ વધી ગયો હતો. આ દરમિયાન પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આ આંદોલનને લઈને મોટી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પંજાબ સરકાર ખેડૂતોની સાથે મક્કમતાથી ઉભી છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને હરિયાણા બોર્ડરની આસપાસની હૉસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે અને બોર્ડર પર એમ્બ્યુલન્સની સંખ્યા વધારવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. હૉસ્પિટલોને એલર્ટ કરવા ઉપરાંત ડૉક્ટરો અને અન્ય પેરા મેડિકલ સ્ટાફને હૉસ્પિટલમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સીએમ માને દાવો કર્યો કે હરિયાણા પોલીસની કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં ઘણા ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ આંદોલનને કારણે સીએમ માને સંગરુર, પટિયાલા, દેરાબસ્સી, માનસા અને ભટિંડાની હૉસ્પિટલોને એલર્ટ રહેવા કહ્યું છે. આ સાથે હરિયાણા સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે તે ખેડૂતો પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ ન કરે.












Click it and Unblock the Notifications
