Farmers Protest: સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનો અને રાજ્યોને મોકલી નોટીસ, કમિટી બનાવવા આપ્યો નિર્દેશ
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનને 20 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. રાજધાની દિલ્હીની સરહદો પર હજારો ખેડૂતો તેમની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન, બુધવારે સુપ્રીમ કોર્ટે વિરોધ કરનારા ખેડ
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનને 20 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. રાજધાની દિલ્હીની સરહદો પર હજારો ખેડૂતો તેમની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન, બુધવારે સુપ્રીમ કોર્ટે વિરોધ કરનારા ખેડૂતોને તાત્કાલિક હટાવવા અધિકારીઓને નિર્દેશ કરતી અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનો, કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી છે, અને આ મામલાને ટૂંક સમયમાં હલ કરવા સમિતિની રચના કરવા જણાવ્યું છે. કોર્ટે હવે ખેડૂત સંગઠનોને નોટિસ આપી છે. ઉલ્લેખનિય છેકે અરજદાર વતી શાહીન બાગ કેસ સુપ્રીમ કોર્ટમાં ટાંકવામાં આવ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હીની અનેક સરહદો પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોને ત્યાંથી હટાવવા માટે એક અરજી કરવામાં આવી હતી, જેના આધારે કોર્ટે આજે ખેડૂત સંગઠનો, કેન્દ્ર અને પંજાબ-હરિયાણા સરકાર વિરુદ્ધ નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યમની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. ખંડપીઠે કહ્યું કે આ મુદ્દાને હલ કરવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ, આ રાષ્ટ્રીય મુદ્દો છે જે સર્વસંમતિથી ઉકેલી લેવાની જરૂર છે. હવે આ મામલે આગામી સુનાવણી આવતીકાલે એટલે કે ગુરુવારે થશે.
Supreme Court issues notice to Centre and States on a batch of pleas seeking a direction to the authorities to immediately remove the farmers who are protesting at several border points of Delhi against three new farm laws pic.twitter.com/v2IJM2qxDE
— ANI (@ANI) December 16, 2020
સુનાવણી દરમિયાન અરજદારની સલાહકારે વારંવાર શાહીન બાગ કેસનો હવાલો આપ્યો હતો. વકીલે કહ્યું કે શાહીન બાગ કેસ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે રસ્તાઓ જામ થવો જોઇએ નહીં, જોકે, મુખ્ય ન્યાયાધીશે શાહીન બાગને ટાંકીને સલાહકારની દખલ કરી હતી. તેણે કહ્યું, કેટલા લોકોએ ત્યાં રસ્તો અટકાવ્યો? કાયદો અને વ્યવસ્થાના કિસ્સામાં, દાખલો આપવો જોઈએ નહીં. દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે શું આ મામલે ખેડૂત સંગઠનોને પક્ષ બનાવવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન સી.જે.આઈ. એસ.એ. બોબડેએ અરજદારના વકીલને પૂછ્યું કે, કઇ ખેડૂત સંગઠને રસ્તો અવરોધ્યો છે? મુખ્ય ન્યાયાધીશના સવાલના જવાબમાં વકીલે કહ્યું કે કોઈ માહિતી નથી. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હી બોર્ડરથી ખેડૂતોને હટાવવાની અરજી પર નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો: હારની જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપ્યું