હારની જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપ્યું
હારની જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપ્યું
છેલ્લા 25 વર્ષથી પ્રયત્નો કરવા છતાં કોંગ્રેસ ગુજરાતમાં પોતાની પકડ નથી જમાવી શકી. ઉલટાની સ્થિતિ બદથી બદતર થતી જણાઈ રહી છે. 2020 કોંગ્રેસ માટે પણ માઠું રહ્યું હતું કેમ કે આ વર્ષમાં કોંગ્રેસે પોતાના એવા દિગ્ગજોને ખોયા છે જેમના ખભે કોંગ્રેસ ગુજરાતમાં પોતાની યથાસ્થિતિ બનાવી રાખી શકી હતી. પરંતુ હવે બીજા બે દિગ્ગજ નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

જણાવી દઈએ કે હાલમાં જ ગુજરાત વિધાનસભાની 8 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં કોંગ્રેસ મોવડીમંડળ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવા નેતાઓથી નારાજ હતું. હાર માટે નૈતિક જવાબદારી સ્વિકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ દાનાણીએ રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ છેલ્લા 10 દિવસથી ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાતના નેતાઓ સાથે અઢળક બેઠકો પણ બોલાવી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી. વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે અને પ્રદેશ પ્રમુખ તરીકે અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરના નામ રેસમાં સૌથી આગળ છે. બંને પદ પર હાઈકમાન્ડના આદેશાનુસાર નિમણૂંક કરવામાં આવશે.
-
AMCનો મોટો નિર્ણય, નરોડા-નારોલ હાઈવેને 250 કરોડના ખર્ચે બનશે હાઈટેક બનાવાશે -
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો -
જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી








Click it and Unblock the Notifications
