IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં નહીં રમે રિંકુ સિંહ, મોટું કારણ આવ્યું સામે
IND vs ENG: ટી20 વિશ્વ કપ 2026ની બીજી સેમિફાઈનલમાં ગુરુવારે જ્યારે ભારત અને ઇંગ્લેન્ડની ટીમો સામસામે ટકરાશે, ત્યારે આખા દેશની નજર એ વાત પર ટકેલી હશે કે સૂર્યકુમાર યાદવ કયા 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરે છે. ટીમના સૌથી ભરોસાપાત્ર ફિનિશર રિંકુ સિંહને લઈને એક એવું અપડેટ આવ્યું છે જે સાંભળીને તેમના ચાહકો નિરાશ થઈ શકે છે.

રિપોર્ટ્સનું માનીએ તો, રિંકુ સિંહ ઇંગ્લેન્ડ સામેની આ મહત્વની સેમિફાઈનલની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકશે નહીં. આ પાછળનું કારણ કોઈ ઈજા કે ખરાબ ફોર્મ નથી, પરંતુ ટીમ કોમ્બિનેશનનું એ ગણિત છે જેને ઉકેલવું ટીમ મેનેજમેન્ટ માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.
વાસ્તવમાં, ભારતીય ટીમ અત્યારે એક વધારાના બોલિંગ વિકલ્પ સાથે મેદાનમાં ઉતરવા માંગે છે. હાર્દિક પંડ્યા અને શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરોની હાજરીને કારણે બેટિંગ લાઇનઅપમાં ઊંડાણ તો છે, પરંતુ રિંકુ સિંહને ફિટ કરવા માટે કોઈ એક મુખ્ય બેટ્સમેન અથવા ઓલરાઉન્ડરને બહાર કરવો પડશે, જે હાલમાં શક્ય જણાય રહ્યું નથી.
ટીમમાં ફેરફાર કરવાનો મૂડ નથી
ભારતીય ટીમે તેની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હાર આપી હતી. તે મેચમાં ટીમે જે પ્રકારનું પ્રદર્શન કર્યું તેનાથી કોચ અને કેપ્ટન ખૂબ સંતુષ્ટ છે. આ જ કારણ છે કે છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવનાર ટીમમાં કોઈ મોટા ફેરફારની શક્યતા દેખાતી નથી.
સંજુ સેમસને છેલ્લી મેચમાં 97 રનની તોફાની ઇનિંગ રમી હતી અને અભિષેક શર્માને ટીમમાં યથાવત રાખવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, રિંકુ સિંહે ફરી એકવાર બાઉન્ડ્રી લાઇનની બહાર બેસીને જ મેચ જોવી પડી શકે છે.
કેવી હશે વાનખેડે સ્ટેડિયમની પીચ
વાનખેડે સ્ટેડિયમની લાલ માટીની આ પીચ પર બોલ બેટ પર ખૂબ સારી રીતે આવે છે. જો બેટ્સમેન શરૂઆતની ઓવરોમાં સંભાળીને રમે, તો અહીં 200+ નો સ્કોર બનાવવો કોઈ મોટી વાત નથી. વાનખેડે સમુદ્ર કિનારે આવેલું હોવાથી સાંજની હવામાં ભેજ હોય છે. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ જેવા સ્વિંગ બોલરોને શરૂઆતની 4-5 ઓવરોમાં સારી મદદ મળી શકે છે. સાંજે ઝાકળની અસર પણ જોવા મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
-
IND vs NZ Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે ફાઈનલ જંગ, જાણો ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક









Click it and Unblock the Notifications
