ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે?
ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમો વચ્ચે જોરદાર જંગ જામશે અને ક્રિકેટ ચાહકોમાં આ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ ટાઈ થશે, તો વિજેતાનો નિર્ણય કરવા માટે સુપર ઓવરનો સહારો લેવામાં આવશે. ICCના નિયમ અનુસાર, જ્યાં સુધી સ્પષ્ટ પરિણામ ન મળે ત્યાં સુધી સુપર ઓવર રમાડવાની જોગવાઈ રાખવામાં આવી છે.
મુંબઈમાં જો વરસાદના કારણે 5 માર્ચે રમત પૂર્ણ ન થઈ શકે, તો મેચ માટે 6 માર્ચનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. રિઝર્વ ડે પર મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી જ ફરી શરૂ કરીને પરિણામ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
જો રિઝર્વ ડે પર પણ સતત વરસાદ પડે અને સુપર ઓવર રમાડવી શક્ય ન બને, તો ફાઇનલિસ્ટનો નિર્ણય અગાઉના પ્રદર્શન પર લેવાશે. આવા સંજોગોમાં સુપર-8 રાઉન્ડના પોઈન્ટ ટેબલમાં જે ટીમ ટોચ પર હશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.
આ નિયમ મુજબ જો મેચ રદ થાય તો ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચશે, કારણ કે તેઓ સુપર-8માં પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાને હતા. ભારતીય ટીમ સુપર-8 ટેબલમાં બીજા ક્રમે હોવાથી વરસાદના સંજોગોમાં ભારત માટે ફાઇનલના દરવાજા બંધ થઈ શકે છે.
આવો જ સમીકરણ પ્રથમ સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પણ જોવા મળશે, જ્યાં ટેબલ ટોપર હોવાનો ફાયદો આફ્રિકાને મળશે. જો તે મેચમાં પણ વરસાદ વિઘ્ન બનશે તો સાઉથ આફ્રિકા સીધું ફાઇનલમાં પ્રવેશ મેળવનારી પ્રથમ ટીમ બની જશે.
-
IND vs NZ Final Match Ticket: ભારત-ન્યુઝીલેન્ડ ફાઈનલની ટિકિટનું વેચાણ આજે, જાણો કેવી રીતે ખરીદવી ટિકિટ -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક









Click it and Unblock the Notifications
