ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે?
ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમો વચ્ચે જોરદાર જંગ જામશે અને ક્રિકેટ ચાહકોમાં આ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ ટાઈ થશે, તો વિજેતાનો નિર્ણય કરવા માટે સુપર ઓવરનો સહારો લેવામાં આવશે. ICCના નિયમ અનુસાર, જ્યાં સુધી સ્પષ્ટ પરિણામ ન મળે ત્યાં સુધી સુપર ઓવર રમાડવાની જોગવાઈ રાખવામાં આવી છે.
મુંબઈમાં જો વરસાદના કારણે 5 માર્ચે રમત પૂર્ણ ન થઈ શકે, તો મેચ માટે 6 માર્ચનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. રિઝર્વ ડે પર મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી જ ફરી શરૂ કરીને પરિણામ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
જો રિઝર્વ ડે પર પણ સતત વરસાદ પડે અને સુપર ઓવર રમાડવી શક્ય ન બને, તો ફાઇનલિસ્ટનો નિર્ણય અગાઉના પ્રદર્શન પર લેવાશે. આવા સંજોગોમાં સુપર-8 રાઉન્ડના પોઈન્ટ ટેબલમાં જે ટીમ ટોચ પર હશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.
આ નિયમ મુજબ જો મેચ રદ થાય તો ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચશે, કારણ કે તેઓ સુપર-8માં પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાને હતા. ભારતીય ટીમ સુપર-8 ટેબલમાં બીજા ક્રમે હોવાથી વરસાદના સંજોગોમાં ભારત માટે ફાઇનલના દરવાજા બંધ થઈ શકે છે.
આવો જ સમીકરણ પ્રથમ સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પણ જોવા મળશે, જ્યાં ટેબલ ટોપર હોવાનો ફાયદો આફ્રિકાને મળશે. જો તે મેચમાં પણ વરસાદ વિઘ્ન બનશે તો સાઉથ આફ્રિકા સીધું ફાઇનલમાં પ્રવેશ મેળવનારી પ્રથમ ટીમ બની જશે.












Click it and Unblock the Notifications
