કેન્દ્ર સરકાર સમાધાન કરી દે તો ખેડૂતો નહીં સળગાવે પરાલીઃ ભગવંત માન
કેન્દ્ર સરકાર સમાધાન કરી દે તો ખેડૂતો નહીં સળગાવે પરાલીઃ ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધાન્યની આગામી સીઝન સુધી પંજાબને પરાલી સળગાવવાથી મુક્ત કરવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે આગલી સીઝન સુધી તેઓ જરાય કસર બાકી નહી છોડે. ભગવંત માને કહ્યું કે રાજ્યમાં સરકાર મલ્ટી-પ્રો રણનીતિ પર કામ કરી રહી છે અને આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધવા માટે પહેલાં જ કૃષિ નિષ્ણાંતો અને ખેડૂત યૂનિયનો સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તરફથી ધાન્યની પરાલીના યોગ્ય પ્રબંધન માટે 1.20 લાખ મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવી છે, અને આ સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા હોવાથી કેન્દ્ર સરકારે પણ આ મામલે ભાગીદારી દેખાડવી જોઈએ.

ભગવંત માને કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોને પાકની વિવિધતા અપનાવવા માટે ઉત્સાહિત કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ પાક માટે લાભદાયક સમર્થન મૂલ્ય આપવું જોઈએ. ભગવંત માને કહ્યું કે આનાથી ખેડૂતોને વૈકલ્પિક પાક અપનાવવા માટે ઉત્સાહિત કરવા અને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ મળશે.
વધુમાં ભગવંત માને કહ્યું કે ખેડૂતોને ધાન્ય પાકોની લણણી અને ઘઊંની વાવણી વચ્ચે 10-20 દિવસનો સમય મળે છે. તેમણે કહ્યું કે કોઈ સાર્થક વિકલ્પ ના હોવાના કારણે ખેડૂતો ના છૂટકે પરાલી સળગાવવા માટે મજબૂર થઈ જાય છે. જો કેન્દ્ર સરકાર આનો ઉકેલ લાવી દે તો ખેડૂતો પરાલી નહી સળગાવે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે હજારો પંચાયતો તરફથી ધાન્યની પરાલી ના સળગાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે આ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા છે. તેમણે કહ્યું કે દેશને એ વાત પર ગર્વ મહેસૂસ થાય છે કે દર વર્ષે પાકના બંપર ઉત્પાદનથી અન્ન ભંડાર લબાલબ ભરવામાં આવે છે પરંતુ આપણે એ હકિકત ભૂલી જઈએ છીએ કે તેનાથી ધાન્યની પરાલીનો પણ વધારો થાય છે.
ભગવંત માને કહ્યું કે પંજાબમાં ખેડૂતો 75 લાખ હેક્ટ ક્ષેત્રફળમાં ધાન્યની કૃષિ કરે છે જેમાંથી 40 લાખ હેક્ટર ક્ષેત્રફળમાં ઉત્પન્ન થયેલ ધાન્યની પરાલી સળગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે બાકી ખેડૂતો ક્યારેય સળગાવવાનો ટ્રેન્ડ નથી અપનાવતા, કેમ કે તેનાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે. ભગવંત માને કહ્યું કે રાજ્ય સરકારે સંગરૂરમાં બાયો એનર્જી ઉત્પાદનનો પ્લાન્ટ લગાવ્યો છે અને રાજ્યભરમાં આવા પ્લાન્ટ લગાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
