Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાશ્મીરના પથ્થરબાજો રાષ્ટ્ર માટે લડી રહ્યાં છેઃ ફારુખ અબ્દુલ્લા

લોકસભાની પેટા-ચૂંટણીના પ્રચાર દરમિયાન ફારુખ અબ્દુલ્લાએ પથ્થરબાજોનું સમર્થન કરતાં કહ્યું કે, તેઓ દેશ માટે લડી રહ્યાં છે.

શ્રીનગર માં લોકસભા પેટા-ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા નેશનલ કોંફ્રેંસ ના નેતા તથા પૂર્વ કેન્દ્રિય મંત્રી ફારુખ અબ્દુલ્લા એ કાશ્મીર ઘાટીના પથ્થરબાજો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, જે લોકો પથ્થર ફેંકી રહ્યા છે, તે ખરેખર તો પોતાના રાષ્ટ્ર માટે લડી રહ્યાં છે. તેમણે કહ્યું કે, હું મોદી સરકારને જણાવવા માંગું છું કે, આ પથ્થરબાજોને ટૂરિઝમ સાથે કોઇ સંબંધ નથી. જો ભારત અને પાકિસ્તાન તેમની સમસ્યાઓનું નિવારણ ન લાવી શકતા હોય, તો અમેરિકાએ આગળ આવવું જોઇએ તથા બંન્ને દેશો વચ્ચેની સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ.

farooq abdullah

ફારુખ અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, આ લડાઇ પીડીપી અને એનસી ના જૂથની લડાઇ નથી, પરંતુ આ તો સાંપ્રદાયિક શક્તિઓ સાથે લડવાની તથા ધર્મનિરપેક્ષતાનું રક્ષણ કરવાની લડાઇ છે.

ફારુખ અબ્દુલ્લા કોંગ્રેસ તથા નેશનલ કોંફ્રેંસ ગઠબંધનથી શ્રીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે. તેમણે ખાન સાહિબ અને સફકાડલ વિસ્તારોમાં પ્રચાર કરતી વખતે આ વાતો કહી હતી. ફારુખે આરોપ લગાવ્યો છે કે, પીડીપી-ભાજપની સરકારે રાજ્યને રાજકારણીય અત્યાચાર અને અનિશ્ચિતતાના તબક્કામાં લાવીને ઊભું કરી દીધું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X