GST અંગે અરુણ જેટલીની જાહેરાત: શું થયું સસ્તું? જાણો અહીં
શુક્રવારે સવારે જીએસટી કાઉન્સિલની 23મી બેઠક મળી હતીનાણાં મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો
શુક્રવારે સવારે જીએસટી કાઉન્સિલની 23મી બેઠક ગુવાહાટી,આસામમાં મળી હતી. નાણાં મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદ સરકાર તરફથી કુલ 211 ચીજો સસ્તી કરવામાં આવી છે. બેઠક બાદ શુક્રવારે સાંજે અરુણ જેટલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. ગુવાહાટીમાં જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. 9 નવેમ્બર અને ગુરૂવારેના રોજ પહેલી બેઠક મળી હતી અને ત્યાર બાદ 10 નવેમ્બર અને શુક્રવારાના રોજ બીજી બેઠખ મળી હતી.

આ પત્રકાર પરિષદમાં થયેલ અન્ય અગત્યની જાહેરાતો નીચે મુજબ છે:
- કુલ 227 વસ્તુઓ પર 28 ટકા જીએસટી લાગતો હતો, એની જગ્યાએ હવે માત્ર 50 વસ્તુઓ પર 28 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે
- કુલ 178 વસ્તુઓ પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે
- 15 નવેમ્બરથી જીએસટીના નવા દર લાગુ થશે.
- 13 વસ્તુઓ પરનો જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે
- 6 વસ્તુઓ 18 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં મુકવામાં આવી છે.
- 12 ટકા જીએસટી દર ધરાવતી 8 વસ્તુઓ પર હવે માત્ર 5 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે
- 5 ટકાના દર હેઠળ આવતી 6 વસ્તુઓ પર હવે કોઇ જીએસટી ચૂકવવાનો નહીં રહે.
- આ વસ્તુઓ થઇ સસ્તી: સેનેટરી, સૂટકેસ, વોલપેપર્સ, પ્લાયવુડ, સ્ટેશનરી, ઘડિયાળ, રમકડા, આફ્ટર શેવ, ડિઓડ્રંટ, વોશિંગ પાવડર, માર્બલ
- આ વસ્તુઓની કિંમતમાં કોઇ ઘટાડો નહીં: પેન્ટ, સિમેન્ટ, વોશિંગ મશીન, ફ્રિઝ, તમાકુ વગેરે
- દેશના તમામ રેસ્ટોરન્ટ્સ, એસ અને નોન-એસી માં હવે 5 ટકા જીએસટી લાગશે. કોઇ રેસ્ટોરન્ટને આઇટીસીનો લાભ નહીં મળે: અરુણ જેટલી
- પ્લાયવુડ , માર્બલ, ઘર બનાવવાના સામાન પર 18 ટકા જીએસટી
- સિમેન્ટ અને કલર પર 28 ટકા જીએસટી
- 3B ના રિટર્ન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા માર્ચ મહિના સુધી ચાલશે. માર્ચ, 2018 સુધી તમામ કરદાતાઓએ 3B ભરવાનું રહેશે: હસમુખ અઢીયા, ફાઇનાનન્સ અને રેવેન્યુ સેક્રેટરી
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
