ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ નિવેદન મામલે નારાયણ રાણે સામે FIR નોંધાઈ, થઈ શકે છે ધરપકડ
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સામે પૂણેના ચતુર્શ્રિંગી પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સામે પૂણેના ચતુર્શ્રિંગી પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમની સામે આ કેસ યુવા સેના તરફથી નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે વાંધાજનક નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ તેમની સામે આઈપીસીની કલમ 505 હેઠલ કેસ નોંધવામાં આવ્યો છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે નારાયણ રાણેની આ કેસમાં ધરપકડ થઈ શકે છે. પોલિસ કમિશ્નરે નારાયણ રાણેની ધરપકડ માટે ડીસીપી સંજય બારકુંડની આગેવાનમાં ટીમની રચના કરી છે.

નારાયણ રાણે સામે નાસિક સાઈબર પોલિસે નાસિક શિવસેના ચીફની ફરિયાદ પર નારાયણ રાણે સામે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નિવેદનને લઈને એફઆઈઆર નોંધી છે. તમને જણાવી દઈએ કે નારાયણ રાણે એ વખતે વિવાદોમાં આવ્યા હતા જ્યારે તેમણે ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનુ નિવેદન આપ્યુ હતુ. જો કે પોલિસ તરફથી હજુ સુધી આ અંગે કંઈ પણ કહેવામાં આવ્યુ નથી.
તમને જણાવી દઈએ કે જન આશીર્વાદ યાત્રા દરમિયાન નારાયણ રાણે કહ્યુ હતુ કે આ શરમજનક છે કે મુખ્યમંત્રીને એ પણ ખબર નથી કે દેશ ક્યારે આઝાદ થયો હતો. તેમને દેશની આઝાદીના વર્ષ ગણવા પડી રહ્યા છે અને સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન તેમણે વર્ષ ગણવા પડ્યા. જો હું ત્યાં હોત તો તેમને એક જોરદાર થપ્પડ મારી દેત.
રાણેએ કહ્યુ કે જ્યારે મુખ્યમંત્રી સ્વતંત્રતાના દિવસે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમની વચમાં જ પોતાના સહયોગીને પૂછવુ પડ્યુ હતુ કે આઝાદીને કયુ વર્ષ છે. રાણેના આ નિવેદનની ઘણી ટીકા થઈ રહી છે. શિવસેનના તરફથી રાણેના આ નિવેદનને લઈને અલગ-અલગ પોસ્ટર લગાવ્યા છે જેમાં રાણેને મુર્ગીચોર બતાવ્યો છે. વાસ્તવમાં ઘણી દશક પહેલા રાણે ચેમ્બૂરમાં મુર્ગીની દુકાન ચલાવતા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
