For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈની પારેખ હોસ્પિટલમાં આગ, 22 દર્દીઓને સલામત બહાર ખસેડાયા

મુંબઈના ઘાટકોપર સ્થિત પારેખ હોસ્પિટલમાં આગ લાગતા 22 જેટલા દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાયા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ : મુંબઈમાં આગની એક ઘટના સામે આવી છે. મળી રહેલી વિગતો અનુસાર, મુંબઈના ઘાટકોપરમાં સ્થિત પારેખ હોસ્પિટલમાં આ આગ લાગી હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા નાસભાગ થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં રહેલા દર્દીઓને અન્ય જગ્યાઓએ ખસેડવા પડ્યા હતા.

 Ghatkopar

આગની ઘટનાને લઈને હોસ્પિટલમાં રહેલા 22 જેટલા દર્દીઓને અન્ય જગ્યાઓએ ખસેડાયા હતા. સામે આવી રહેલી વિગતો અનુસાર, આગ એક પિઝ્ઝા રેસ્ટોરન્ટમાં વીજળીને કારણે લાગી હતી. જે બાદ આગને કારણે હોસ્પિટલ ખાલી કરાવવી પડી હતી. હાલ હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય જગ્યાઓએ ખસેડાયા છે અને કોઈપણ જાનહાનિના સમાચાર નથી.

આ મુદ્દે વાત કરતા મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યુ કે,ફાયરની આઠ ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. આગ બપોરે 2 વાગ્યા આસપાસ શરૂ થઈ હતી. પારેખ હોસ્પિટલના માલિક ડો.નરેન્દ્ર દેઢિયાએ જણાવ્યું કે, હોસ્પિટલમાંથી દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. કારણ કે હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, હોસ્પિટલમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ ભુતકાળમાં સામે આવી ચુકી છે. થોડી બેદરકારીને કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

English summary
Fire at Mumbai's Parekh Hospital, 22 patients evacuated to safety
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X