કમલા મિલ્સ અગ્નિકાંડનો ખુલાસો, આ કારણે લાગી હતી આગ
કમલા મિલ્સમાં આગ કેવી રીતે લાગી તે ફાયરબ્રિગ્રેડ અને પોલિસની સહયારી તપાસમાં બહાર આવ્યું છે. અવૈદ્ય રીતે ચાલતી અનેક વસ્તુઓએ ભેગી મળીને 14 લોકોના પ્રાણ લીધા છે. જાણો આ અંગે વધુ અહીં
મુંબઇની લોઅર પરેલમાં સ્થિત કમલા મિલ કંપાઉન્ડમાં 29 ડિસેમ્બરે લાગેલી આગની પાછળનું કારણ હવે સામે આવ્યું છે. તપાસ કમિટી મુજબ મોજો બિસ્ટ્રો નામના પબમાં જ સૌ પ્રથમ આગ લાગી હતી. જે આગ ફેલાઇને વન અબવ સુધી ફેલાઇ હતી. આ વાત ફાયર બ્રિગ્રેડના એક રિપોર્ટમાં જાણવા મળી છે. રિપોર્ટ મુજબ મોજો બિસ્ત્રોમાં હુક્કાના કારણે આગ લાગી હતી. અહીં અવૈદ્ય રીતે હુક્કાબાર ચાલી રહ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું કે બળતા કૌલસાને હટાવા જતી વખતે કે પછી તેની આગને વધારવા માટે પંખા કરતી વખતે આગ કોઇ સજાવટના સામન કે પડદાને લાગી ગઇ હતી. તપાસ દરમિયાન પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે હુક્કાને સર્વ કરવાની તૈયારી ચાલી રહી હતી. જે પછી આગ લાગી હતી તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ હોટલમાં દારૂ કે હુક્કા આપવાની છૂટ નહતી આપવામાં આવી. જે પછી અહીં અવૈદ્ય રીતે હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યો હતો. ફાયર બ્રિગ્રેડની રિપોર્ટમાં પણ જણાવ્યું હતું કે બહાર નીકળવાના ગેટની પાસે પણ સામાન ભરવામાં આવ્યો હતો.

જેના કારણે લોકો લિફ્ટના ભરોસે બચીને બહાર આવી શકતા હતા. વધુમાં લિફ્ટ પણ આગના કારણે બગડતા લોકો અટવાઇ પડ્યા હતા. વળી રેસ્ટોરન્ટમાં ખાવા બનાવવા માટે જે આગ માટે જે પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે પણ અવૈદ્ય હતો. સાથે જ અગ્નિશામક યંત્ર પણ બેકાર થઇ ગયા હતા. વળી આગના કારણે મોઝો બિસ્ત્રોના કસ્ટમર જીવ બચાવવા વન અબવમાં ધૂસી ગયા જેના કારણે ગંગુણામણ વધી ગઇ અને લોકો પણ ભરાઇ પડ્યા. પોલીસ તપાસમાં તે પણ બહાર આવ્યું છે કે કમલા મિલ્સ કમ્પાઉન્ડની છત પર ચાલી રહેલા રેસ્ટો ઓપન પબ એમસીડીની પરવાનગી વગર ચલાવવામાં આવી રહ્યું હતું. આ સિવાય ટોયલેટમાં 14 લોકોની મોત થઇ હતી. જે પણ અવૈદ્ય રીતે બનાવ્યું હતું. નોંધનીય છે કે લોરલ પરેલ એક ગુજરાતી વિસ્તાર છે. અને આ ઘટનામાં ધણા ગુજરાતી પરિવારોએ તેમના દિકરા- દિકરી કુમળી વયે ગુમાવ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી અને એક આકસ્મિત કારણોથી લાગેલી આગે 14 જીંદગીઓને હંમેશા માટે ચૂપ કરી દીધી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
