અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા સાથે પ્રથમ જૂથ રવાના
અમરનાથ યાત્રા માટે શ્રધ્ધાળુઓનું પહેલુ જૂથ આજે સવારે રવાના થઈ ગયુ છે. આ જૂથ ભગવંત નગરમાં જમ્મુના બેઝ કેમ્પથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરવામાં આવ્યુ છે.
અમરનાથ યાત્રા માટે શ્રધ્ધાળુઓનું પહેલુ જૂથ આજે સવારે રવાના થઈ ગયુ છે. આ જૂથ ભગવંત નગરમાં જમ્મુના બેઝ કેમ્પથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરવામાં આવ્યુ છે. આ યાત્રામાં શામેલ થવા માટે દેશભરના અલગ અલગ ભાગોમાંથી લોકો આવ્યા હતા. આ તીર્થયાત્રા બાલટાલ અને પહેલગામથી શરૂ થઈ છે. બંને જગ્યાઓ પર શિબિર સ્થળ બનાવવામાં આવ્યા હતા જ્યાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

જનતાની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા
અમરનાથ યાત્રાના પહેલા જૂથને જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ, જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના મુખ્ય સલાહકાર બી બી વ્યાસ અને વિજય કુમારે ઝંડો બતાવીને રવાના કર્યા. આ દરમિયાન વિજય કુમારે કહ્યુ કે અમરનાથી યાત્રા દર વર્ષે થતી મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જનતાની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. સુરક્ષા એજન્સીઓની મદદથી અમે બધા યાત્રીઓને સુરક્ષિત રીતે યાત્રા પૂરી કરાવવાની કોશિશ કરીએ છીએ. અમારી કોશિશ રહે છે કે યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય અને પ્રવાસ આરામથી ચાલતો રહે.

3880 મીટરની પગપાળા યાત્રા
આ દરમિયાન યાત્રામાં શામેલ શ્રધ્ધાળુઓનુ કહેવુ છે કે અમે અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છીએ એ વાતની અમને ખુશી છે. અમને અહીં કોઈનો પણ ડર નથી. દરેક જગ્યાએ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે. દર વર્ષે આ યાત્રામા સુધારો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે યાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓ 3880 મીટરની પગપાળા યાત્રા કરશે. આ દરમિયાન આખા રસ્તા પર સીઆરપીએફના જવાન તૈનાત રહેશે.

બે લાખ શ્રધ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી
સીઆરપીએફના ઈન્સ્પેક્ઠર જનરલ અભય વીર ચૌહાણે તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષાની તૈયારીઓનું ચેકિંગ કર્યુ. આ દરમિયાન થયેલી વાતચીતમાં તમામ પાસાંઓ પર ધ્યાન આપવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે આ વખતે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, સેના પ્રમુખ બિપિન રાવતને જાતે બાલટાલ બેઝ કેમ્પનું ચેકિંગ કર્યુ હતુ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ વખતે કુલ બે લાખ શ્રધ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી હતી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
