અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા સાથે પ્રથમ જૂથ રવાના
અમરનાથ યાત્રા માટે શ્રધ્ધાળુઓનું પહેલુ જૂથ આજે સવારે રવાના થઈ ગયુ છે. આ જૂથ ભગવંત નગરમાં જમ્મુના બેઝ કેમ્પથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરવામાં આવ્યુ છે.
અમરનાથ યાત્રા માટે શ્રધ્ધાળુઓનું પહેલુ જૂથ આજે સવારે રવાના થઈ ગયુ છે. આ જૂથ ભગવંત નગરમાં જમ્મુના બેઝ કેમ્પથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરવામાં આવ્યુ છે. આ યાત્રામાં શામેલ થવા માટે દેશભરના અલગ અલગ ભાગોમાંથી લોકો આવ્યા હતા. આ તીર્થયાત્રા બાલટાલ અને પહેલગામથી શરૂ થઈ છે. બંને જગ્યાઓ પર શિબિર સ્થળ બનાવવામાં આવ્યા હતા જ્યાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

જનતાની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા
અમરનાથ યાત્રાના પહેલા જૂથને જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ, જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના મુખ્ય સલાહકાર બી બી વ્યાસ અને વિજય કુમારે ઝંડો બતાવીને રવાના કર્યા. આ દરમિયાન વિજય કુમારે કહ્યુ કે અમરનાથી યાત્રા દર વર્ષે થતી મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જનતાની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. સુરક્ષા એજન્સીઓની મદદથી અમે બધા યાત્રીઓને સુરક્ષિત રીતે યાત્રા પૂરી કરાવવાની કોશિશ કરીએ છીએ. અમારી કોશિશ રહે છે કે યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય અને પ્રવાસ આરામથી ચાલતો રહે.

3880 મીટરની પગપાળા યાત્રા
આ દરમિયાન યાત્રામાં શામેલ શ્રધ્ધાળુઓનુ કહેવુ છે કે અમે અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છીએ એ વાતની અમને ખુશી છે. અમને અહીં કોઈનો પણ ડર નથી. દરેક જગ્યાએ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે. દર વર્ષે આ યાત્રામા સુધારો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે યાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓ 3880 મીટરની પગપાળા યાત્રા કરશે. આ દરમિયાન આખા રસ્તા પર સીઆરપીએફના જવાન તૈનાત રહેશે.

બે લાખ શ્રધ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી
સીઆરપીએફના ઈન્સ્પેક્ઠર જનરલ અભય વીર ચૌહાણે તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષાની તૈયારીઓનું ચેકિંગ કર્યુ. આ દરમિયાન થયેલી વાતચીતમાં તમામ પાસાંઓ પર ધ્યાન આપવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે આ વખતે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, સેના પ્રમુખ બિપિન રાવતને જાતે બાલટાલ બેઝ કેમ્પનું ચેકિંગ કર્યુ હતુ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ વખતે કુલ બે લાખ શ્રધ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
