First Day: મોદીએ કાળા નાણાં મુદ્દે SIT રચવાની કરી જાહેરાત
નવી દિલ્હી, 28 મે: ભારતના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ બાદ મંગળવારે પોતાનો પદભાર સંભાળી લીધો છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની પદવી પ્રાપ્ત કરવાની સાથે જ એક્શનનો મૂડ બનાવી લીધો છે. નરેન્દ્ર મોદીનો પહેલો દિવસ બેઠકો અને મુલાકાતોમાં વ્યસ્ત રહ્યો તમામ વ્યવસ્તતાઓ છતાં નરેન્દ્ર મોદીએ પોતાના દિવસે જ ઇતિહાસ રચી દિધો.
પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફ સહિત સાર્કના સાત સભ્યો દેશોના પ્રમુખો સાથે 'સારો અને સાર્થક' મુલાકાત કરવાથી માંડીને વિદેશોમાં જમા કાલાનાણાંની તપાસ માટે એસઆઇટી ગઠિત કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત મંગળવારે નવ ગઠિત મંત્રિમંડળની પ્રથમ બેઠક પણ થઇ.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતાએ સવારે 8 વાગે સાઉથ બ્લોકમાં દેશના વડાપ્રધાનમંત્રીનો પદભાર ગ્રહણ કર્યો અને ત્યાંથી જલદી જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇને મળવા હૈદ્વાબાદ હાઉસ જતા રહ્યાં. સવારે 9.30 વાગે થરૂ 30 મિનિટની મુલાકાતમાં બંને પક્ષોએ 'સમુદ્ધ અને સંપ્રભુ' અફઘાનિસ્તાનના નિર્માણમાં ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. 10 થી 12 વાગે બપોરે નરેન્દ્ર મોદીએ બાકી પડોશી દેશોના પ્રમુખો સાથે મુલાકાતો કરી. આ બધા પડોશી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ પર આવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ જે હસ્તીઓ સાથે મુલાકાત કરી તેમાં માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલા અમીન, અમીન અબ્દુલ ગયૂમ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે, ભૂટાનના વડાપ્રધાનમંત્રી ત્શેરિંગ તોબ્ગેય, મારિશસના વડાપ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલાબ અને નેપાલના વડાપ્રધાનમંત્રી સુશીલા કોઇરાલા સામેલ છે. આ નેતાઓની સાથે થોડી-થોડી વાર મુલાકાત થતી રહી અને ત્યારબાદ 12.10 વાગે નરેન્દ્ર મોદીની વડાપ્રધાનમંત્રી નવાજ શરીફની સાથે મુલાકાત શરૂ કરી.
લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન તેમણે આતંકવાદ સહિત કેટલાક મુદ્દાઓ પર વાતચીત કરી. બંને નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના સંસદની સ્પીકર શિરીન શરમિન સાથે મુલાકાત કરી અને બોર્ડર કરાર પર ભાર મૂક્યો. તેમણે એ પણ સંકેત કર્યો કે પડોશી દેશની સાથે તીસ્તા જળ વહેંચણી કરાર પર વાતચીત કરવાથી ભારત પીછે હટ કરી રહ્યું નથી.
પોતાની કુટનીતિક મુલાકાતો બાદ નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહના 3 મોતીલાલ નહેરૂ માર્ગ સ્થિત આવાસ પર ગયા અને તેની મુલાકાત કરી. ત્યારબાદ સાઉથ બ્લોકમાં તેમને પોતાના મંત્રીમંડળની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી. કાનૂન અને સૂચના તથા પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે પછી જાહેરાત કરી કે ભાજપ નીત સરકારે વિદેશોમાં જમા કાળા નાણાની તપાસ કરવા માટે સર્વોચ્ચ કોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશ એમ.બી.શાહની અધ્યક્ષતામાં વિશેષ તપાસ દળ (એસઆઇટી) નિમવાનો નિર્ણય લીધો છે.
રવિશંકર પ્રસાદે કહ્યું ''આ સંતોષનો વિષય છે કે સર્વોચ્ચ કોર્ટના આદેશ અનુસાર કાળું નાણું લાવવા માટે અમે એસઆઇટી નિમવાનો નિર્ણય લીધો છે.'' તેમણે કહ્યું ''ઉચ્ચસ્તરના વિત્તીય, રાજસ્વ અને આર્થિક મેનેજમેંટ એસઆઇટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ દેશની નવી સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.'' જો આ વિશે કોઇ અધિકૃત આંકડો નથી, પરંતુ વિભિન્ન અનુમાનોમાં કહેવામાં આવ્યું છે કે વિદેશોમાં જમા કાળું નાણું 1.4 ખરબ ડોલર થઇ શકે છે.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
