ટ્રેન બાદ હવે શરૂ થશે વિમાન સર્વિસ, ફ્લાઈટમાં ખાવાનુ નહિ મળે
ટ્રેન બાદ હવે શરૂ થશે વિમાન સર્વિસ, ફ્લાઈટમાં ખાવાનુ નહિ મળે
નવી દિલ્હીઃ લલૉકડાઉન 3 વચ્ચે ભારતીય રેલવેએ 15 શહેરો માટે યાત્રી ટ્રેન સેવા 12 મેથી શરૂ કરી રહી છે. મંગળવારથી રાજધાની દિલ્હીના 15 શહેરો માટે ટ્રેન ચાલશે. આજથી ટ્રેન ટિકિટોની બુકિંગ શરૂ થઈ જશે. ટ્રેન બાદ હવે વિમાન સેવા શરૂ થવાના અણસાર પણ જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયન એરલાઈન્સ પણ જલદી જ પોતાની સેવાઓ શરૂ કરશે. 17 મે બાદ વિમાન સેવાઓ શરૂ થવાની ઉમ્મીદ છે. સીએનએન ન્યૂજ 18ના અહેવાલ મુજબ લૉકડાઉન પૂરું થયા બાદ ફરી એકવાર વિમાન સેવા શરૂ થઈ શકે છે. જો કે વિમાન સફર દરમિયાન તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. જ્યારે સફર દરમિયાન તમારી પાસે ખોરાકનો વિકલ્પ નહિ હોય.

17 મેથી શરૂ થશે વિમાન સેવા
રિપોર્ટ મુજબ 17 મે બાદ વિમાન સેવાઓ શરૂ થઈ શકે છે. વિમાન સેવાઓ શરૂ કરતા પહેલા સિવિલ એવિએશન સિક્યોરિટી બ્યૂરો અને સિવિલ એવિએશનના ડાયરેક્ટર જનરલ સોમવારે દેશના પ્રમુખ એરપોર્ટનો પ્રવાસ કરશે અને ત્યાંના હાલાતનો રિપોર્ટ લેશે કે એરપોર્ટ લૉકડાઉન દરમિયાન સફર માટે સુરક્ષિત છે કે નહિ અને સફર માટે જરૂરી શરતોનનું પાલન કરાવવા માટે ત્યાં પર્યાપ્ત સાધન છે કે નહિ.

નિયમોમાં કેટલાય બદલાવ
વિમાન સેવા શરૂ કરતા પહેલા સફરને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે કેટલલાય બદલાવ કરવામાં આવ્યા છે. જ્યારે સફર માટે યાત્રીઓને પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. સૂત્રો મુજબ ઓછી દૂરીની ફ્લાઈટ માટે ખાવાનું આપવામાં નહિ આવે. જાણકારી મુજબ 2 કલાક સુધીના સફર માટે ક્રૂ મેમ્બર્સ યાત્રિઓને ખોરાક નહિ પીરશે. વિમાનમાં સફર કરનાર દરેક યાત્રી પાસે મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત હશે. આ એપ દ્વારા યાત્રા દરમિયાન સંક્રમણથી સંબંધિત જાણકારી હાંસલ કરી શકાશે.

12 મેથી શરૂ થઈ રહી છે ટ્રેન સેવા
જણાવી દઈએ કે 12 મેથી ટ્રેન સેવા શરૂ થઈ રહી છે. ટ્રેનની શરૂઆત સૌથી પહેલા નવી દિલ્હીથી થશે. તમે આ રૂટ પર જ ટિકિટની બુકિંગ પણ કરાવી શકો છો. આ રૂટ્સમાં નવી દિલ્હીથી ડિબ્રૂગઢ સ્પેશિયલ ટ્રેન, નવી દિલ્હીથી અગરતલા, નવી દિલ્હીથી હાવડા, નવી દિલ્હીથી પટના, નવી દિલ્હીથી બિલાસપુર, નવી દિલ્હીથી રાંચી, નવી દિલ્હીથી ભુવનેશ્વર, નવી દિલ્હીથી સિકંદરાબાદ, નવી દિલ્હીથી બેંગ્લોર, નવી દિલ્હીથી ચેન્નઈ, નવી દિલ્હીથી તિરુવનંતપુરમ, નવી દિલ્હીથી મડગાંવ, નવી દિલ્હીથી મુંબઈ સેન્ટ્રલ, નવી દિલ્હીથી અમદાવાદ અને નવી દિલ્હીથી જમ્મુ તવી માટે ચાલશે. આ ટ્રેનમાં રિટર્ન ટિકિટ પણ ઉપલબ્ધ છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી











Click it and Unblock the Notifications
