For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌતમ ગંભીર અને મનોજ વાજપેયી સહિત 112ને પદ્મ પુરસ્કાર, જુઓ સંપૂર્ણ યાદી

ગૌતમ ગંભીર અને મનોજ વાજપેયી સહિત 112ને પદ્મ પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 70મા ગણતંત્ર દિવસની આગલી સંધ્યાએ ભારત સરકારે પદ્મ અવોર્ડ 2019ના નામોની ઘોષણા કરી દીધી. રાષ્ટ્પતિ ભવ તરફથી આ નામોની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે કુલ 14 શખ્સિયતોને પદ્મ ભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ઈસરોના વૈજ્ઞાનિક નાંબી નારાયણ, લોકસભાના પૂર્વ ડેપ્યૂટી સ્પીકર કરિયા મુંડા, અભિનેતા મોહનલાલ, પત્રકાર કુલદીપ નૈયર, પર્વતારોહી બેંછેંદ્રી પાલ, લોકસભા સાંસદ હુકુમદેવ નારાયણ યાદવના નામ સામેલ છે.

padma awards

લોક ગાયિકા તીજન બાઈ, ઈસ્માઈલ ઉમરગુલેહ (વિદેશી) અનિલ કુમા મણિભાઈ નાઈક, બળવંત મોરેશ્વર પુરંદરેને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે જ્યારે જૉન ચેમ્બર્સ, સુખદેવ સિંહ ઢીંડસા, પ્રવીણ ગોરધન, દર્શન લાલ જૈન, અશોક લક્ષ્મણરાવ કુકડે, મહાશય ધર્મ પાલગુલાટી, કરિયા મુંડા, મોહનલાલ વિશ્વનાથ નાયર, એસ નાંબી નારાયણ, પત્રકાર કુલદીપ નૈયર (મરણોપરાંત), પર્વતારોહી બછેંદ્રી પાલ, વીકે શુંગલૂ, સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ અને બુધાદિત્ય મુખરજીને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આશે.

જ્યારે પદ્મશીર માટે કુલ 94 નામોની ઘોષણા કરવામાં આવ છે જેમાં રાજેશ્વર આચાર્ય, બંગારુ આદિગલર, ઈલિયાસ અલી, અભિનેતા મનોજ બાજપેયી, ઉદ્ધવ કુમાર ભારાલી, ઓમેશ કુમાર ભારતી, પ્રીતમ ભર્તવાન, જ્યોતિ ભટ્ટ, દિલીપ ચક્રવર્તી, મમ્મી ચાંડી, સ્વપન ચૌધરી, કંવલ સિંહ ચૌહાણ, ફુટબોલ ખેલાડી સુનીલ છેત્રી, દિનકર ઠેકેદાર, મુત્ત્કબેન પંકજકુમાર દાગલી, બાબૂલાલ દહિયા, થંગા દારલોંગ, કોરિયોગ્રાફ પ્રભુ દેવા, રાજકુમારી દેવી, ભાગીરથી દેવી, બલદેવ સિંહ ઢિલ્લોં, હરિકા દ્રોણાવલ્લી, ગોદાવરી દત્તા, ક્રિકેટર ગૌતમ ગંભીર, દ્રૌપદી ધિમિરય, રોહિણી ગોડબોલે, સંદીપ ગુલેરિયા, પ્રતાપ સિંહ હાર્ડિયા, બુલુ ઈમામ, ફ્રેડરિકે ઈરિના, જોરાવરસિંહ જાદવ, એસ જયશંકર, નરસિંહ દેવ જમ્વાલ, ફૈયાજ અહમદ જાન, કેજી જયન, સુભાષ કાક, શરથ કમલ, રજની કાંત, સુદામ કેવટ, વામન કેન્દ્રે, દિવંગત અભિનેતા કાદર ખાન (મરણોપરાંત), અબ્દુલ ગફૂર ખત્રી, રવીન્દ્ર કોલ્હે, સ્મિતા કોલ્હે, બોમ્બાયલા દેવી લેશરામ, કૈલાશ મડૈયા, રમેશ બાબાજી મહારાજ, વલ્લભભાઈ વાસરાભાઈ મારવાનિયા, ગીતા મહેતા, શાદાબ મોહમ્મદ, કેકે મુહમ્મદ, શ્યામા પ્રસાદ મુખરજી, દૈતારી નાઈક, સંગીતકાર શંકર મહાદેવન નારાયણ, શાંતનુ નારાયણ, નર્તકી નટરાજ, ટર્સિંગ નોરબે, અનૂપ રંજન પાંડે, જગદીશ પ્રસાદ પારિખ, ગણપતભાઈ પટેલ, વિમલ પટેલ, હુકુમચંદ પાટીદાર, હરવિંદર સિંહ ફૂલકા, મદુરૈ ચિન્ના પિલ્લઈ, તાઓ પોર્ચન-લિંચ, કમલા પુજારને પદ્મ શ્રી અવોર્ડ એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો-પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજપથ ખાતે એકઠા થવા લાગ્યા લોકો

English summary
Folk artist Teejan Bai, Djibouti's President Ismail Omar Guelleh, L&T chairman Anilkumar Manibhai Naik, and writer Balwant Moreshwar Purandare to be conferred with Padma Vibhushan by the President.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X