બજેટ સત્રમાં પાસ ના થઇ શક્યું ખાદ્ય સુરક્ષા બિલ
2014ની ચૂંટણી તૈયારીઓમાં લાગી ચૂકેલી કોંગ્રેસ ઇચ્છતી હતી આગામી લોકસભા ચૂંટણી સુધી આને આખા દેશમાં લાગૂ કરવામાં આવે. ભ્રષ્ટાચાર, ઘોટાળો અને મોંઘવારીના મુદ્દે સરકાર પહેલાથી બેકફૂટ પર છે, એવામાં સરકાર પાસે લોકો પાસે વોટ માગવાનું કોઇ કારણ નથી. ખાદ્ય સુરક્ષા બિલ એવી યોજના છે જેના દમ પર સરકાર લોકો પાસે વોટ માગી શકતી હતી.
પ્રસ્તાવિત ખાદ્ય સુરક્ષા બિલ અંતર્ગત દરેક વ્યક્તિને 5 કિલો સસ્તું અનાજ આપવાની યોજના છે એટલે કે પાંચ સભ્યોવાળા પરિવારને દર મહિને 25 કિલો અનાજ મળશે જોકે આ યોજનાથી સરકારી તિજોરી પર 1 લાખ 25 હજાર કરોડ રૂપિયાનો બોજ પડતો.
સોનિયા ગાંધીના મહત્વકાક્ષી ખાદ્ય સુરક્ષા બિલને કેબિનેટ પહેલેથી જ આને મંજૂરી આપી ચૂક્યુ છે. જોકે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત આવનાર લગભગ 2.43 કરોડ ખુબજ ગરીબ પરિવારોને પરિવાર દીઠ દર મહિને 35 કિલોગ્રામ ખાદ્યાન્ન મેળવવાની કાનૂની લાયકાત રહેશે.