પંજાબના પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનુ અવસાન, 96 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું
પંજાબના પુર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલનું અવસાન થયુ છે. પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે 96 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે.
અહેવાલો અનુસાર, પ્રકાશ સિંહ બાદલ લાંબા સમયથી બિમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેમને 36 વર્ષની ઉમરે આખરી શ્વાસ લીધા હતા.

પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં ઈન્ફેક્શનને કારણે ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તે છેલ્લા ઘણા દિવસોથી દાખલ હતા. પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
પ્રકાશ સિંહ બાદલ પંજાબની રાજનીતિનો મોટો ચહેરો રહી ચુક્યા છે. પંજાબની રાજનીતિને સમજનારા કેટલાક નેતાઓમાં બાદલ સામેલ હતા. બાદલના મુખ્યમંત્રી રહેતા પંજાબમાં ઘણી મોટી ઉથલપાછલ જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
