કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડીનુ 79 વર્ષની વયે આજે સવારે નિધન
Oommen Chandy Passed Away: કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીનું નિધન થયું છે. કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણને ટ્વિટ કરીને આ માહિતી આપી છે. તેમણે ઓમાન ચાંડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઓમાન ચાંડીને બેંગ્લોરની ચિન્મય મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કે સુધાકરને ટ્વીટ કર્યું, "પ્રેમની શક્તિથી વિશ્વને જીતી લીધું હતું તેવા રાજાની કહાનીનો અંત આવ્યો છે. એક મહાન વ્યક્તિના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે મોટી સંખ્યામાં લોકોના જીવનને પ્રભાવિત કર્યું, તેમનો વારસો હંમેશા આપણી આત્મામાં ગુંજતો રહેશે. તેમની આત્માને શાંતિ મળે.''

તમને જણાવી દઈએ કે ઓમાન ચાંડી બે વખત કેરળના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેઓ 79 વર્ષના હતા, આજે સવારે તેમનું નિધન થયું છે. ઓમાન ચાંડીના પુત્રએ ફેસબુક પર એક પોસ્ટ લખીને તેમના પિતાના નિધનની માહિતી આપતા શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, અપ્પા હવે નથી. નોંધનીય છે કે ઓમાન ચાંડી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા, તેઓ સારવાર માટે બેંગલુરુમાં રહેતા હતા.
The tale of the king who triumphed over the world with the power of 'love' finds its poignant end.
— K Sudhakaran (@SudhakaranINC) July 18, 2023
Today, I am deeply saddened by the loss of a legend, @Oommen_Chandy. He touched the lives of countless individuals, and his legacy will forever resonate within our souls. RIP! pic.twitter.com/72hdK6EN4u
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ચાંડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમે એક જ વર્ષે ધારાસભ્ય બન્યા, અમે બંને લગભગ એક જ સમયે વિદ્યાર્થી રાજકારણમાં આવ્યા. તમને ગુડબાય કહેવું મુશ્કેલ છે. ઓમાન ચાંડી એક સક્ષમ નેતા હતા જે લોકોના જીવનમાં નજીકથી સંકળાયેલા હતા.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
