Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Manohar Joshi Passed Away: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનુ નિધન, કાલે સાંજે આવ્યો હતો હાર્ટ એટેક

Manohar Joshi: મહારાષ્ટ્રથી એક દુઃખદ સમાચાર છે, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે. તમને જણાવી દઈએ કે મનોહર જોશીને ગઈકાલે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.

ગઈકાલે રાત્રે લગભગ 3 વાગ્યે તેમણે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, પરંતુ તે પહેલા, તેમના પાર્થિવ દેહને સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી લોકોના અંતિમ દર્શન માટે માટુંગા સ્થિત તેમના ઘરે રાખવામાં આવશે.

Manohar Joshi

ત્યારબાદ મુંબઈના દાદર સ્મશાન ભૂમિમાં મનોહર જોશીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પૂર્વ સીએમના નિધનના સમાચારથી રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ છે.

શિવસેનાના સ્થાપક દિવંગત બાળાસાહેબ ઠાકરેના ખૂબ જ નજીકના ગણાતા મનોહર જોશી શિવસેનાના દિગ્ગજ નેતાઓમાં સામેલ છે. તેઓ અવિભાજિત શિવસેનાના પ્રથમ નેતા હતા, જેમણે 1995થી 1999 સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. તેઓ સાંસદ પણ રહી ચુક્યા છે અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તેમણે વાજપેયી સરકારમાં લોકસભા સ્પીકરનું પદ પણ સંભાળ્યું હતું.

મનોહર જોશીની લાંબી રાજકીય સફર રહી છે. તેમણે તેમની રાજકીય સફર એક કાઉન્સિલર તરીકે શરૂ કરી હતી, ત્યારબાદ તેઓ મેયર, સીએમ, રાજ્યસભા-લોકસભા સાંસદ અને લોકસભાના સ્પીકર પદ સુધી પહોંચ્યા હતા. તેઓ સીએમ બન્યા પરંતુ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. સીએમ તરીકેની તેમની સફર માત્ર ત્રણ વર્ષ અને 323 દિવસ ચાલી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X