પૂર્વ PM મનમોહન સિંહની તબિયત લથડી, એઈમ્સના દાખલ કરાયા!
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને AIIMS માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, 89 વર્ષના મનમોહન સિંહને બુધવારે સાંજે 6:15 વાગ્યે AIIMS ના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી, 13 ઓક્ટોબર : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને AIIMS માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, 89 વર્ષના મનમોહન સિંહને બુધવારે સાંજે 6:15 વાગ્યે AIIMS ના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. એનડીટીવીના સમાચાર અનુસાર, મનમોહનસિંહે તાવ અને નબળાઈની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ મનમોહન સિંહની સારવાર કરવામાં આવી રહી છે.

મનમોહન સિંહના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કોંગ્રેસના નેતા પ્રણવ સિંહે કહ્યું છે કે મનમોહન સિંહની તબિયત અંગેની અફવાઓ પર ધ્યાન આપશો નહીં, તેમની સ્થિતિ સ્થિર છે, તેમને હમણાં જ રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. અમે જરૂર મુજબ કોઈપણ અપડેટ શેર કરીશું. અમે મીડિયામાં અમારા મિત્રોની ચિંતા માટે આભાર માનીએ છીએ.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મનમોહન સિંહને આ વર્ષે એપ્રિલમાં AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તે કોરોના સંક્રમિત થયા હતા. બાદમાં તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાને 4 માર્ચ અને 3 એપ્રિલે કોરોના રસીના બંને ડોઝ લીધા હતા.












Click it and Unblock the Notifications
