તો શું ભગવા વસ્ત્ર પહેરવાની તૈયારી કરી રહ્યાં છે અમરસિંહ ?
ગોરખપુર, 21 નવેમ્બરઃ ફરી એકવાર સપા માટે ભૂતકાળ બની ગયેલા અમરસિંહ ચર્ચામાં છે. કારણ છે, તેમની અને ભાજપ સાંસદ મહંત યોગી આદિત્યનાથની મુલાકાત. ત્યારબાદ ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું છેકે શું અમરસિંહ ભાજપમાં સામેલ થવાના પ્રયાસો કરી રહ્યાં છે.

તેવામાં ગુરુવારે ભાજપ સાંસદ મંહત આદિત્યનાથ સાથેની તેમની મુલાકાતે રાજકીય સમીકરણ રીતે જોવામાં આવી રહ્યું છે. નોંધનીય છેકે, અમરસિંહ અચાનક ગુરુવારે ગોરખપુર પહોંચ્યા તો ફરી એકવાર રાજકીય ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું. તેમણે ગોરખનાથ મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ મહંત આદિત્યનાથ સાથે મુલાકાત કરી.
આ દરમિયાન અમરસિંહે કહ્યું કે, મોદીને એવું કઇ ખોટુ નથી કહ્યું કે જેના કારણે તેમનો વિરોધ કરવામાં આવે. મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે, મોદી રામ અને બુદ્ધ જેવા છે. હું ભાજપનો વિરોધી રહ્યો છું, પરંતુ હાલના સમયે કોનો વિરોધ કરું, કારણ કે ભાજપ સૌથી સારું કામ કરી રહ્યું છે.
સૂત્રોની વાત માનીએ તો આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ. ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છેકે, બની શકે છેકે પોતાના રાજકીય અસ્તિત્વને શોધી રહેલા હવે ભગવા વસ્ત્રો પહેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે શું?












Click it and Unblock the Notifications
