Gallantry Awards 2023 : સેનાના 76 જવાનોને વીરતા પુરસ્કારોની જાહેરાત, રાષ્ટ્રપતિએ મંજુરી આપી
77માં સ્વાતંત્ર્ય દિવસની પુર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દેશની સેનામાં બલિદાન આપનારા 76 જવાનોને વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ આ માટે મંજુરી આપી દીધી છે.
આ પુરસ્કારોમાં 4 કીર્તિ ચક્ર (મરણોત્તર), 5 મરણોત્તર સહિત 11 શૌર્ય ચક્ર, 5 બાર ટુ સેના મેડલ (વીરતા), 52 આર્મી મેડલ (વીરતા), 3 નેવી મેડલ (વીરતા) અને 4 એર ફોર્સ મેડલ (વીરતા) નો સમાવેશ થાય છે.

આ સિવાય સેન્ટ્રલ રિઝર્વ ફોર્સને સ્વતંત્રતા દિવસ પર 33 વીરતા ચંદ્રકો મળ્યા છે. જેમાં જમ્મુ અને કાશ્મીરમાં હાથ ધરવામાં આવેલા પાંચ ઓપરેશનમાં વીરતા માટે 20 મેડલનો સમાવેશ થાય છે.
નક્સલવાદી વિદ્રોહ પ્રભાવિત વિસ્તારોમાં ચાર ઓપરેશનમાં બહાદુરી દર્શાવનારા બહાદુરોને 13 મેડલ એનાયત કરવામાં આવ્યા છે. બે બહાદુરોને વીરતા (મરણોત્તર) માટે પોલીસ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 21 આર્મી ડોગ યુનિના ભારતીય સેનાના ડોગ મધુને સ્વતંત્રતા દિવસ પર મરણોત્તર મેનશન ઇન ડિસ્પેચ ગેલેન્ટ્રી મેડલ એનાયત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
