મહાત્મા ગાંધીએ પોતાના ઉપદેશોથી દુનિયા બદલી : જો બિડેન
નવી દિલ્હી, 23 જુલાઇ : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જો બિડેન સોમવારે સાંજે પોતાની ચાર દિવસની ભારત મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. નવી દિલ્હી પહોંચ્યા બાદ તેમણે રાજધાની દિલ્હીમાં ગાંધી સ્મૃતિની મુલાકાત સમયે ગાંધીજીના વ્યક્તિત્વ અને પ્રભાવને યાદ કર્યા હતા.
બિડેને જણાવ્યું કે મહાત્મા ગાંધીએ પોતાના ઉપદેશોથી દુનિયા બદલી નાખી છે. બિડેને 30 જાન્યુઆરી માર્ગ સ્થિત ગાંધી સ્મૃતિમાં આગંતુક પુસ્તિકામાં લખ્યું છે કે આ પવિત્ર સ્થળે હોવું કેટલા સન્માન અને મહાન સૌભાગ્યની બાબત છે એ મને સમજાય છે. અહીં એ વ્યક્તિનું સ્મરણ થાય છે જેણે દુનિયા બદલી નાખી છે.

ગાંધી સ્મૃતિ જ એ સ્થાન છે જ્યાં 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બિડેને જણાવ્યું કે ગાંધીના ઉપદેશથી મારો દેશ પણ બદલાઇ ગયો હતો. જ્યારે ડૉ કિંગ (માર્ટિન લૂથર) દ્વારા તેમનું અનુકરણ કરીને માત્ર અશ્વેત પુરુષો અને મહિલાઓ જ નહીં પણ સૌ અમેરિકનોને મુક્ત કરાવવા માટે સંઘર્ષ કર્યો. બિડનની સાથે તેમના પત્ની ડૉ જિલ અને તેમને પુત્રી એશ્લે પણ હતા.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
