મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા નથી: ગૃહ મંત્રાલય

એશ્વર્યાએ એક આરટીઆઇ દાખલ કરીને પૂછ્યું હતું કે ગાંધીજીને 'રાષ્ટ્રપિતા' કેમ કહેવામાં આવે છે? ત્યારે તેને જણાવવામાં આવ્યું હતું કે ગાંધીજીને આવી કોઇ ઉપાધિ આપવામાં આવી નથી, તો તેને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખીને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા જાહેર કરવા માટેના જાહેરનામું રજૂ કરવાની માંગણી કરી હતી.
એશ્વર્યાની અરજી તે સૂચના સાથે ગૃહ મંત્રાલયને અરજી મોકલવામાં આવી હતી કે તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો ખુલાસો કરવામાં આવે. ગૃહ મંત્રાલયે પોતાના જવાબમાં મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા'નું બિરૂદ ન આપવા માટે બંધારણીય મજબૂરીઓને હવાલો સોંપ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે બંધારણીય કલમ 8(1) શિક્ષણ અને સેના સાથે જોડાયેલ ઉપાધિ સિવાય અન્ય ઉપાધિ આપવાની મંજૂરી આપતું નથી.












Click it and Unblock the Notifications
