ગાઝિયાબાદ સ્મશાનઘાટ દૂર્ઘટનાઃ અત્યાર સુધી 25 લોકોના મોત, કૉન્ટ્રાક્ટર, જેઈ સહિત 3ની ધરપકડ
ગાઝિયાબાદ(Ghaziabad)ના મુરાદનગર(Muradnagar)માં સ્મશાન ઘાટ(Cremation Ground) દૂર્ઘટનામાં અત્યાર સુધી 25 લોકોના મોત થઈ ચૂક્યા છે.
Ghaziabad Crematorium Roof Collapse Case: ગાઝિયાબાદઃ ગાઝિયાબાદ(Ghaziabad)ના મુરાદનગર(Muradnagar)માં સ્મશાન ઘાટ(Cremation Ground) દૂર્ઘટનામાં અત્યાર સુધી 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઘણા લોકો ઘાયલ છે જેમનો ઈલાજ ચાલી રહ્યો છે. આ કેસમાં મુરાદનગર પાલિકાના અધિરાકી નિહારિકા ચૌહાણ, કૉન્ટ્રાક્ટર અજય ત્યાગી, જેઈ સીપી સિંહ, સુપરવાઈઝર આશિષ સહિત અન્ય અજ્ઞાત તેમજ સંબંધિત અધિકારીઓ સામે બિનજવાબદાર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ મંડલાયુક્ત અનીતા સી મેશ્રામના નિર્દેશ પર નોંધવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ જેઈ સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

અંતિમ સંસ્કારમાં શામેલ થવા ગયા હતા લોકો
તમને જણાવી દઈએ કે રવિવારની સવારે બંબા સ્મશાન ઘાટ પર ઘણા લોકો એક અંતિમ સંસ્કારમાં શામેલ થવા પહોંચ્યા હતા. આ દરમિયાન વરસાદ થવો શરૂ થયો અને લોકો ગલીઓમાં ઉભા રહી ગયા. આ દરમિયાન નવનિર્મિત ગલીનુ લેંટર નીચે પડી ગયુ. દૂર્ઘટનામાં અત્યાર સુધી 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. પોલિસ, પીએસી અને એનડીઆરએફની ટીમે રાહત અને બચાવ કાર્ય કર્યુ. આ દૂર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો.
સીએમ યોગીએ આપ્યા તપાસના આદેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(CM Yogi Adityanath)દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની આર્થિક મદદનુ એલાન કર્યુ છે. સાથે જ મંડલાયુક્ત અને આઈજી મેરઠને મુરાદનગર દૂર્ઘટનાની તપાસ કરીને રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા છે. ગાઝિયાબાદમાં મેરઠ રેંજના આઈજી પ્રવીણકુમારે કહ્યુ કે દૂર્ઘટનાની તપાસ કરવામાં આવશે. કમિશ્નર મેરઠ અને આઈજી મેરઠ આ કેસની તપાસ કરશે. જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વરિષ્ઠ પોલિસ અધિક્ષક કલાનિધિ નૈથાનીએ જણાવ્યુ કે કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તરફ મુરાદનગર પોલિસ સ્ટેશનના જણાવ્યા મુજબ આ કેસમાં બે-ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમની પૂછપરછ કરવામાં આવી છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત












Click it and Unblock the Notifications
