Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ghosi Bypoll: સીએમ યોગીએ મઉના રમખાણોની યાદ તાજી કરાવી, બોલ્યા- લડવા માટે આવ્યો હતો હું

Ghosi By Election: ઘોસી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. ભાજપ અને સપાના નેતા ચૂંટણી અભિયાનમાં લાગી ગયા છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે જનસભાને સંબોધિત કરી છે. જનસભાને સંબોધિત કરતી વખતે સીએમ યોગીએ નામ લીધા વિના અંસારી પરિવાર પર આકરો પ્રહાર કર્યો.

Yogi Adityanath

સીએમ યોગી આદિત્યનાથે અંસારી પરિવાર પર રાજકીય હુમલો બોલતાં કહ્યું, "ઘોસીની આ પેટાચૂંટણી મહત્વપૂર્ણ છે. ઘોસીમાં થઇ રહેલ પેટાચૂંટણીના મહત્વને 2005ના મઉ રમખાણોને નજીકથી મહેસૂસ કરતાં તેઓ જ સમજી શકશે."

સીએમ યોગીએ આગળ કહ્યું, "યાદ કરો 2005માં તાત્કાલીન સમાજવાદી પાર્ટીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી હતી અને રમખાણ માફિયાઓ ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા હતા. ક્યાંક યાદવોની હત્યા કરી રહ્યા હતા તો ક્યાંક ગરીબોની હત્યા કરી રહ્યા હતા. ત્યારે સપાની સરકાર એ માફિયાઓનું કંઈ નહોતી કરી રહી અને કોંગ્રેસ પણ કંઈ નહોતી બોલી રહી."

વધુમાં સીએમ યોગીએ કહ્યું, "હું ગોરખપુરથી સાંસદ હતો અને ત્યારે આ રમખાણો વિરુદ્ધ લડવા માટે હું ગોરખપુરથી ચાલ્યો હતો. આજે વડાપ્રધાનના નેતૃત્વમાં જેવી યુપીમાં ભાજપની સરકાર બની કે આ માફિયા વ્હીલચેર પર પોતાના જીવની ભીખ માંગતા જોવા મળી રહ્યા છે. આજે કોઈની જમીન પર કોઈ કબ્જો કરે છે તો અમારું બુલડોઝર પણ તૈયાર રહે છે. "

જણાવી દઈએ કે ઘોસી પેટાચૂંટણીમાં ભાજપે દારા સિંહને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ સુધાકર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. દારા સિંહ તાજેતરમાં સપા છોડી ભાજપમાં સામેલ થયા છે. દારા સિંહ ચૌહાણે વિધાનસભા ચૂંટણી 2022ની ઠીક પહેલાં ભાજપ છોડી સપામાં જોડાયા હતા. પરંતુ તેમણે આખરે ઘરવાપસી કરી લીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X