આર્ટિકલ 370નું સમર્થન કરનાર કોંગ્રેસ નેતાઓ પર ભડક્યા ગુલામનબી આઝાદ, આપી સલાહ
કોંગ્રેસના અમુક નેતાઓના આર્ટિકલ 370ના સમર્થનવાળા મંતવ્ય પર પાર્ટીના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે નારાજગી વ્યક્ત કરી છે.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવવા અંગેના મોદી સરકારના નિર્ણય પર મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસમાં ફૂટ જોવા મળી રહી છે. દિગ્ગજ કોંગ્રેસી જનાર્દન દ્વિવેદી, રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ, મિલિન્દ દેવડા અને દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ મુદ્દે પાર્ટીથી અલગ મંતવ્ય વ્યક્ત કર્યુ છે. આ નેતાઓએ જમ્મુ કાશ્મીરના મુદ્દે મોદી સરકારના નિર્ણયનું સમર્થન કર્યુ છે. જો કે કોંગ્રેસના આ નેતાના મંતવ્ય પર પાર્ટીના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે નારાજગી વ્યક્ત કરી છે. ગુલામ નબી આઝાદે કહ્યુ કે જે લોકોને જમ્મુ કાશ્મીરનો અને કોંગ્રેસનો ઈતિહાસ ખબર નથી એ લોકો સાથે મારે કોઈ લેવાદેવા નથી.

કોંગ્રેસમાં મતભેદ વચ્ચે ગુલામ નબી આઝાદે કહી મોટી વાત
સોમવારે મોદી સરકારે મોટુ પગલુ ઉઠાવીને જમ્મુ કાશ્મીરથી કલમ 370 ખતમ કરવાનો સંકલ્પ કર્યો. બાદમાં જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયુ. મોદી સરકારના આ નિર્ણયનો કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ સમર્થન કર્યુ. આમાં રાજ્યસભામાં પાર્ટીના ચીફ વ્હિપ ભુવનેશ્વર કલિતા, જેમણે આર્ટિકલ 370 પર પાર્ટીના વલણને જોતા રાજીનામુ આપી દીધુ. વળી, જર્નાદન દ્વિવેદી, અદિતિ સિંહ, દીપેંદર સિંહ હુડ્ડાએ પણ આ નિર્ણયના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો. આ નેતાઓના નિવેદન વિશે જ્યારે રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદને સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ નેતાઓને સલાહ પણ આપી દીધી.
|
કલમ 370નું સમર્થન કરનાર કોંગ્રેસીઓને આઝાદે આપી આ સલાહ
દિગ્ગજ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યુ, ‘જે લોકોને જમ્મુ કાશ્મીર અને કોંગ્રેસનો ઈતિહાસ ખબર નથી, એ લોકો સાથે મારે કોઈ લેવાદેવા નથી. તે પહેલા કાશ્મીર અને કોંગ્રેસનો ઈતિહાસ વાંચે, પછી કોંગ્રેસમાં રહે.'

કલમ 370 પર રાહુલનુ જોરદાર ટ્વીટ
વળી, આ સમગ્ર મામલે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પોતાની વાત કહી. રાહુલ ગાંધીએ લખ્યુ, ‘જમ્મુ કાશ્મીરને બે ભાગાં વહેંચીને, ચૂંટેલા પ્રતિનિધિઓને જેલમાં નાખીને અને બંધારણનું ઉલ્લંઘન કરીને દેશનું એકાકીરણ ન કરી શકાય. દેશ તેની જનતાથી બને છે જમીનના ટૂકડાથી. સરકાર તરફથી શક્તિઓનો દૂરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘાતક સાબિત થશે.'
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
