રામ મંદિર અંગે ગિરિરાજ સિંહએ મુસલમાનોને ખુલ્લી ધમકી આપી
હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર ગિરિરાજ સિંહ ઘ્વારા રામ મંદિર અંગે ફરી એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.
હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર ગિરિરાજ સિંહ ઘ્વારા રામ મંદિર અંગે ફરી એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. તેમને રામ મંદિર નિર્માણ અંગે મુસલમાનોને ચેતવણી આપી છે. ગિરિરાજ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુસલમાનો ભગવાન રામના વંશજ છે, તેઓ મુઘલના વંશજ નથી. એટલા માટે તેમને પણ રામ મંદિરનું સમર્થન કરવું જોઈએ. ગિરિરાજ સિંહ ઘ્વારા આગળ જણાવવાંમાં આવ્યું કે જો મુસલમાનો રામ મંદિરનું સમર્થન નહીં કરે તો તેમને સારી રીતે ખબર છે કે હિંદુઓ તેમનાથી નફરત કરશે.
આ પણ વાંચો: મુસલમાનો પણ ભગવાન રામના વંશજ, મંદિર બનાવવા માટે મદદ કરે

સમર્થન નહીં કર્યું તો પરિણામની કલ્પના કરી લેજો
ગિરિરાજ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો મુસલમાનો વિરુદ્ધ હિન્દુઓની નફરત વધતી રહી તો તેના પરિણામની કલ્પના કરી શકાય છે. ગિરિરાજ સિંહએ આ નિવેદન રવિવારે બાગપતમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું, જ્યાં તેઓ જનસંખ્યા રોકો રેલીનું શુભારંભ કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમને કહ્યું કે રામ મંદિરનો મુદ્દો અને વધતી વસ્તીનો મુદ્દો નવો નિયમ બનાવીને ઉકેલી શકાય છે.

કેન્સર જેવી સમસ્યા
કેન્દ્રીય મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાલના સમયમાં રામ મંદિરનો મુદ્દો કેન્સર સમાન છે. જે હાલમાં બીજા સ્ટેજ પર છે. એવી પરિસ્થિતિમાં જો તેનો ઉપચાર નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં તેનો ઉપચાર કરવો અસંભવ બની જશે. તેમને મુસલમાનોને અપીલ કરી કે રામ મંદિરના નિર્માણ માટે તેમને પણ એક પગલું આગળ વધવાની જરૂર છે.

કાનૂન બને
વધતી વસ્તી અંગે પણ કેન્દ્રીય મંત્રીએ તેના માટે કાનૂન બનાવવાનું કહ્યું છે. તેમને કહ્યું કે જે લોકો નિર્ધારિત કરતા વધારે બાળકો પેદા કરે તેમના વિરુદ્ધ સખત કાનૂન બનવો જોઈએ. જે લોકો આ કાનૂન નહીં માને તેમની પાસેથી મત અધિકાર છીનવી લેવામાં આવે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા પણ ગિરિરાજ સિંહએ રામ મંદિર અને વધતી વસ્તી અંગે વિવાદિત નિવેદનો આપ્યા છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
