GNS Exitpoll: મહાગઠબંધન બનાવી શકે સરકાર? ગુજરાતમાં ભાજપ 6 સીટ ગુમાવશે
GNS Exitpoll: મહાગઠબંધન બનાવી શકે સરકાર? ગુજરાતમાં ભાજપ 6 સીટ ગુમાવશે
નવી દિલ્હીઃ આજે 19મી મેના રોજ લોકસભા ચૂંટણીનું 7મા તબક્કાનું મતદાન થયું, ત્યારે હવે કોની સરકાર બનશે કે કોણ ફરી હારશે તે અંગે એક્ઝિટ પોલ દ્વારા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. ગુજરાત ન્યૂજ સર્વિસના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 2-3, AIADMKને 4-5, ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસને 0-1, ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસને 25-27, ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રેન્ટને 2-3, અપના દળને 2-3, ભાજપને 187-193, બીજુ જનતા દળને 17-19, કોમ્યુનિસ્ટ પાર્ટીને 0-1, કોંગ્રેસને 128-133 સીટ મળી રહી છે.
ઈન્ડિયન યુનિયન મુ્લિમ લિગને 0-1, પીડીપીને 0-1, કેપીડીપીને 0, જનતાદળ (સેક્યુલર) 1-2, જનતાદળ (યુનાઈટેડ) 7-9, ઝારખંડ મુક્તિ મોરચાને 0-1, કેરળ કોંગ્રેસ (એમ) 0-1, લોક જન શક્તિ પાર્ટીને 0-1, નાગા પીપલ ફ્રન્ટને 0-1, નેશનલ પીપલ્સ પાર્ટીને 0-1, નેશનલ કોંગ્રેસ પાર્ટીને 14-16, રાષ્ટ્રીય જનતા દળને 12-14, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને 0-1, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીને 0-1, સમાજવાદી પાર્ટીને 15-17, શિરોમણી અકાલી દળને 1-2, શિવસેનાને 12-14, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને 0-1, સ્વાભિમાની પક્ષને 0-1, તેલંગાણા રાષ્ટ્ર સમિતિને 9-11, યુવાજન શ્રમિક રીઠુ કોંગ્રેસ પાર્ટીને 9-11, ડીએમકેને 25-27, બીએસપીને 10-12, નેશનલ કોંફ્રેન્સને 2-3 સીટ મળી શકે છે.
જીએનએસના એક્ઝિટ પોલ મુજબ 2014માં ભાજપે ગુજરાતમાં તમામ 26 સીટ પર જીત મેળવી હતી, જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝાટકો લાગી શકે છે. જીએનએસના પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 20 સીટ મળી શકે છે જ્યારે કોંગ્રેસ 6 સીટ પર જીતી શકે છે. મોદીની ઈમેજ માટે આ મોટો ઝાટકા સમાન છે. આ સર્વે મુજબ ભાજપ અને એનડીને 272ના જાદુઈ આંકડાને આંબવા માટેની મુશ્કેલી વધી શકે છે, ત્યારે સવાલ થાય કે શું આ વખતે ખરેખર મહાગઠબંધન વાળી સરકાર બનશે?
આ પણ વાંચો- એક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર?