જાણો કોણ છે ગોવાના નવા સીએમ લક્ષ્મીકાંત પાર્સેકર?
પણજી, 8 નવેમ્બર: થોડી પહેલાં જ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી કે લક્ષ્મીકાંત પાર્સેકર ગોવા નવા મુખ્યમંત્રી હશે. તે કેન્દ્રિય મંત્રીમંડળમાં સામેલ થયેલા મનોહર પર્રિકરનું સ્થાન લેશે. તેમને સીએમની ખુરશી એટલા માટે મળી છે કારણ કે મનોહર પર્રિકરને મોદી કેબિનેટમાં સ્થાન મળવા જઇ રહ્યું છે, કહેવામાં આવે છે કે મનોહર પર્રિકરને રક્ષા મંત્રી બનાવવામાં આવી રહ્યાં છે.
મનોહર પર્રિકરના વિશ્વાસપાત્ર લક્ષ્મીકાંતની છબિ એક સ્પષ્ટ નેતાની રહી છે. લક્ષ્મીકાંત પાર્સેકરનો જન્મ 4 જુલાઇ 1956ના રોજ હારમલમાં થયો હતો. તેમણે એમએસી અને બીએડ કર્યું છે અને તે લાંબા સમય સુધી હારમેલ-ગોવાના Harmal Panchakroshi Secondary School ના પ્રિસિંપાલ રહી ચૂક્યાં છે. તેમણે પોતાના સંઘર્ષથી ભાજપને એક નવો રંગ અને વળાંક આપ્યો છે.

વર્ષ 2002 જૂનમાં આ ચોથીવાર ગોવાના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા. વર્ષ 2012માં ગોવા ભાજપ યૂનિટના પ્રેસિંડેટ પણ ચૂંટાયા હતા. તેમણે હિન્દી, અંગ્રેજી, મરાઠી અને કોંકણી ભાષાનું સારું જ્ઞાન છે. તે અત્યારે પર્રિકર મંત્રાલયમાં હેલ્થ મિનિસ્ટર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મનોહર પર્રિકર બાદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર અર્લેકર, સ્વાસ્થ્ય મંત્રી લક્ષ્મીકાંત પાર્સેકર અને ઉપ મુખ્યમંત્રી ફ્રાંસિસ ડીસૂઝા મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદારોમાં હતા પરંતુ લક્ષ્મીકાંત પાર્સેકર બાજી મારી ગયા. વનઇંડિયાના અનુસાર લક્ષ્મીકાંત પાર્સેકરને મુખ્યમંત્રી બનાવવાનો સળવળાટ ચાલી રહ્યો હતો જે આજે સાચો નિકળ્યો.
લક્ષ્મીકાંત પાર્સેકરના લીધે ફ્રાંસિસ ડિસૂજા જે અત્યારે ડેપ્યુટી સીએમ છે, તેમણે બગાવતના સૂર છેડ્યા હતા કારણ કે તેમને લાગે છે કે તે જ સીનિયર છે, એટલા માટે સીએમ તેમને જ બનાવવા જોઇએ પરંતુ ભાજપ કાઇકમાંડે તેમની વાત પર ધ્યાન ન આપતાં લક્ષ્મીકાંત પાર્સેકરને મુખ્યમંત્રી ચૂંટ્યા. જોઇએ હવે ફ્રાંસિસ ડિસૂજા શું પગલાં ભરે છે.












Click it and Unblock the Notifications
