નવી દિલ્હી, 14 મે: એક તરફ તમામ એક્ઝિટ પોલ એનડીએની જીત તરફ ઇશારો કરે છે તો બીજી બાજું એનડીએને સમર્થન મળવાની શરૂઆત પણ થઇ ગઇ છે. બીજૂ જનતા દળના નેતા પર્વત ત્રિપાઠીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે તેમની પાર્ટી એનડીએને શરતના આધારે સમર્થન આપવા માટે રાજી છે.
તેમણે જણાવ્યું કે આખા દેશની જનતાની મરજીને ધ્યાનમાં રાખીને બીજેડીને એનડીએને સમર્થન આપવામાં કોઇ વાંધો નથી. બીજેડી ઓડિશાના લાંબા સમયથી વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યું છે. જો ભાજપના નેતા ઓડિશાને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કરે છે તો બીજેડી સમર્થન આપવા માટે રાજી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા બીજેડી પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દાવો કર્યો હતો કે એનડીએની સાથે ગઠબંધન તોડ્યા બાદથી તેમની પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપની સાથે સમાન અંતર બનાવી રાખ્યું છે.
Comments