લાંબી માથાકૂટ પછી GST પસાર તો થયું પણ હવે શું? જાણો અહીં

છેવટે લાંબી માથાકૂટ બાદ લોકસભા અને રાજ્યસભા બન્ને ગૃહોમાં જીએસટી બિલ સર્વસંમત્તિ સાથે પસાર કરવામાં આવ્યું છે. આ સમાચાર ખરેખરમાં ભારતના તમામ નાગરિકો માટે એક સારા સમાચાર છે. બિલ પસાર થયું ત્યારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. મોદીએ આ બિલ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે હવે "ગ્રાહક રાજા બની જશે" અને જીએસટીના લાગુ પડતા જ કાચા બિલ અને ટેક્સ ચોરી જેવી સમસ્યાઓ ભૂતકાળ બની જશે. હવે નવા નિયમ મુજબ વેપારનો રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે. વળી આનાથી નાના વેપારીઓ સરળતાથી લોન મેળવી શકશે.

gst bill

હવે શું થશે?
જીએસટી સંશોધન બિલને હવે રાષ્ટ્રપતિ નોટિફાઇ કરશે. જે પછી જીએસટીની કાઉન્સિલ બનાવવામાં આવશે. તેની સાથે જ 50 ટકા રાજ્ય વિધાનસભામાં આ બિલને પસાર કરવામાં આવશે. જે બાદ જીએસટી બિલ બનવાની પ્રક્રિયા કરવામાં આવશે. સરકાર રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે મીટીંગ કરીને સ્ટાડર્ડ નક્કી કરશે. સરકાર જીએસટી બિલને સંસદના શિળાયું સત્રમાં રજૂ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X