ભારતનું ગુડવિલ જેસ્ચરઃ 11 પાક. કેદીઓને આજે મળશે આઝાદી
12 જૂનના રોજ ભારત સરકાર 11 પાકિસ્તાની કેદીઓેને મુક્ત કરશે.
કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં શંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન(SCO) દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેની ઔપચારિક મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ ભારતમાં કેદ 11 પાકિસ્તાની કેદીઓને સ્વતંત્ર કરવામાં આવશે. આજે એટલે કે 12 જૂનના રોજ 11 કેદીઓને સ્વતંત્ર કરવામાં આવશે. અધિકારીઓએ નરેન્દ્ર મોદીના આ નિર્ણયને ગુડવિલ જેસ્ચરનું નામ આપ્યું છે.

આ નિર્ણય અંગે પાકિસ્તાનનું કહેવું છે કે, આ તમામ કેદીઓએ પોતાની સજા પૂરી કરી લીધી છે અને આથી ભારત તેમને મુક્ત કરી રહ્યું છે. અંગ્રેજી વેબસાઇટ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટ દ્વારા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મૃત્યુની સજા સંભળાવ્યા બાદ ભારત સરકારનો આ પ્રકારનો આ પહેલો નિર્ણય છે. અસ્તાનામાં મોદી અને શરીફ વચ્ચે થયેલ મુલાકાત બાદ લેવામાં આવેલો કેદીઓને મુક્ત કરવાનો આ નિર્ણય ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ભારતીય અધિકારીઓએ કહ્યું કે, કેદીઓને મુક્ત કરવા એ માનવતા સાથે જોડાયેલ મુદ્દો છે. આ પરથી એવું ન માનવું જોઇએ કે, જાધવના મામલે ભારતના વલણમાં કોઇ પરિવર્તન આવ્યું છે. સરકારને આશા છે કે, પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદીઓને પણ ત્યાંની સરકાર મુક્ત કરશે. સરકાર અનુસાર, વર્તમાન સમયમાં પાકિસ્તાનની જેલમાં 132 ભારતીય કેદીઓ બંધ છે, જેમાંથી 57 કેદીઓની સજા પૂર્ણ થઇ ચૂકી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા







Click it and Unblock the Notifications
