ગોરખપુર: બાળકોનો મૃત્યુઆંક 68, CM યોગી થયા ભાવુક
રવિવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય મંત્રી જે.પી.નડ્ડાએ ગોરખપુર ખાતે બીઆરડી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં બાળકોની મૃત્યુની ઘટનાઓ હજુ ચાલુ જ છે. રવિવારે મગજ પર તાવ ચડતા ચાર વર્ષના વધુ એક બાળકનું મૃત્યુ થયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં આ આંકડો 68 પર પહોંચ્યો છે. શુક્રવારે ખબર આવી હતી કે, 48 કલાકની અંદર બીઆરડી હોસ્પિટલમાં ઑક્સિજન સિલિન્ડરની ખોટને કારણે 30 બાળકો મુત્યુ પામ્યા હતા. 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટની વચ્ચે આ હોસ્પિટલના 68 બાળકોનું મૃત્યુ થયું છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ હોસ્પિટલને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડનાર કંપની પુષ્પા સેલ્સ દ્વારા પહેલા જ સૂચના આપવામાં આવી હતી કે, હોસ્પિટલ દ્વારા ચૂકવણી ન થતાં કંપની તરફથી સિલિન્ડરની સપ્લાઇ રોકવામાં આવી છે. આમ છતાં, હોસ્પિટલ દ્વારા કોઇ પગલું લેવામાં નહોતું આવ્યું.

આ મામલે વધુ જાણકારી મેળવવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે ગોરખપુર પહોંચ્યા હતા, તેમણે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા સાથે બીઆરડી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ યોગી આદિત્યનાથે મીડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, પીએમ મોદી પણ આ ઘટનાથી ચિંતિત છે અને તેમણે દરેક સંભવ મદદની ખાતરી આપી છે. તેમણે જ સ્વાસ્થ્ય મંત્રીને ગોરખપુર મોકલ્યા છે. આ આખા મામલાની તપાસ જરૂરી છે. જે બાળકોનું આમ મૃત્યુ થયું છે, એમના માટે મારા કરતા વધુ સંવેદના કોઇના મનમાં નહીં હોય. આ સાથે યોગી આદિત્યનાથ થોડા ભાવુક થઇ ગયા હતા.

યોગી આદિત્યનાથે આગળ કહ્યું હતું કે, તપાસ સિમિતિની રિપોર્ટ બાદ જ આની પાછળનું ચોક્કસ કારણ કહી શકાશે. જો કોઇની બેદરકારીને કારણે આખા ઉત્તર પ્રદેશમાં ક્યાંય પણ કોઇનો પણ જીવ ગયો હશે, તો એને છોડીશું નહીં.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
