આવતા ચાર મહિના સુધી નહીં મળે નવું ગેસ કનેક્શન!

ઈન્ડિયન ઓઇલે આ અંગે એક ઇન્ટર્નલ સર્ક્યુલર પણ પાસ કરી દીધું છે. જ્યારે ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓ પણ ટૂંક સમયમાં આનો અમલ કરશે. ખરેખર એક જ પરિવારમાં એકથી વધારે કનેક્શન રોકવા માટેનો એક સર્વે થઇ રહ્યો છે. આ સર્વે પૂરો થશે ત્યાં સુધી નવા કનેકશન અપાશે નહીં.
ઉલ્લેખનીય છે કે આ સમય દરમિયાન કંપનીયો નવા કનેક્શન માટેની અરજીઓ સ્વીકારશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્વે પૂર્ણ થવામાં 3થી 4 મહિના લાગી શકે છે. જ્યારે ઇન્ડિયન ઓઇલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવા કનેક્શનની ફાળવણી બંધ કરવા અંગેનો સર્ક્યુલર પસાર કરવામાં આવ્યો નથી.
જોકે ઓઇલ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે ‘ સરકાર તરફથી કે ત્રણેય એલપીજી ડીસ્ટ્રીબ્યુટર્સ તરફથી આવું કોઇ સર્ક્યુલર પસાર કરવામાં નથી આવ્યું. નવા ગેસ કનેક્શનની ફાળવણી ચાલુ છે અને ચાલુ રહેશે. જોકે એક જ પરિવારને એકથી વધારે કનેક્શન ફાળવાય તેની તકેદારી રાખવા કંપનીઓને આદેશ છે.'












Click it and Unblock the Notifications
