શ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ
શ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. શહેરની મૌલાના આઝાદ રોડ સ્થિત બજારમાં થયેલ આ આતંકી હુમલામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સુરક્ષાબળોએ હાલ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
લાલ ચોકની બાજુમાં આવેલ મૌલાના આઝાદ રોડ પર હુમલો થયો છે. મૃત્યુ પામનાર વ્યક્તિ પણ કાશ્મીરનો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પાછલા 15 દિવસોમાં અહીં બીજી વખત ગ્રેનેડ હુમલો થયો છે. 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યાના ચાર દિવસ બાદ સુરક્ષાબળોને ફરી એકવાર નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
#UPDATE Jammu and Kashmir: 15 people injured in a grenade attack in a market on Maulana Azad Road in Srinagar. https://t.co/LYAa5UHght pic.twitter.com/ic4LuXq8g4
— ANI (@ANI) November 4, 2019
J&Kમાં આતંકી હુમલો, 5 બિનકાશ્મીરી મજૂરોની હત્યા કરી, 1 ઘાયલ