Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગોધરાકાંડમાં ક્ષતિ પામેલ ધાર્મિક સ્થળો અંગે SCનો ચૂકાદો

ગુજરાતના 2002ના ગોધરાકાંડના રમખાણોમાં ઘણા ધાર્મિક સ્થળોને નુકશાન થયું હતું. આ નુકશાનની ભરપાઈ સરકારે કરવી એવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી અરજી.આ અંગે વધુ વાંચો અહીં

ગુજરાતમાં 2002ના થયેલા ગોધરાકાંડના રમખાણોમાં અનેક ધાર્મિક સ્થળોના નુકશાનમાં સરકારી સહાય અંગે નિર્ણય ગુજરાત હાઈકોર્ટે કર્યો હતો. જેને પડકારતા સુપ્રીમ કોર્ટે આ આદેશને નકાર્યો છે. આ મામલે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને પી.સી.પેન્ટનાએ ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, સરકાર લોકોના પૈસા, જે કરના સ્વરૂપમાં સરકાર પાસે આવે છે, તે કોઈ પણ ધાર્મિક સ્થળના સમારકામમાં ખર્ચી નહિં શકે. તેમણે આગળ જણાવ્યું કે, જો સરકારને તેમને સહાય કરવી જ હોય તો એ સ્થળને મંદિર, મસ્જીદ કે ધાર્મિક સ્થળ સમજીને નહિં, પરંતુ કોઈ ઈમારત સમજીને સહાય કરવી.

સુપ્રીમ કોર્ટ

અત્રે ઉલ્લખનીય છે કે, 2012માં ગુજરાત હાઈકોર્ટે આ અંગે નિર્ણય કર્યો હતો કે, જેમ બીજા સ્થળોના સમારકામ માટે વધુમાં વધુ 50,000 આપવાની વાત હતી તે જ અન્ય ધાર્મિક સ્થળો માટે પણ એ જ રકમ મળશે. ગુજરાત સરકારે આ વાત સ્વીકારી હતી. પરંતુ ઇસ્લામિક રિલિફ સેન્ટરે આ અંગે દલીલ કરતા જણાવ્યું હતું કે, રમખાણોમાં ધાર્મિક સ્થળોની રક્ષા સરકારે કરવાની હોય છે અને જો નુકસાન થાય તો સરકારે જ તેની ભરપાઈ કરવી જોઈએ. આ તમામ દલીલોને સુપ્રીમ કોર્ટે નકારી હતી. વળી, ઇસ્લામિક રિલિફ સેન્ટર દ્વારા રમખાણોમાં નુકસાન પહોંચેલ ધાર્મિક સ્થળોની સંખ્યા 500 દર્શાવી છે, જ્યારે ગુજરાત સરકાર અનુસાર આ સંખ્યા ઘણી ઓછી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X