ગોધરાકાંડમાં ક્ષતિ પામેલ ધાર્મિક સ્થળો અંગે SCનો ચૂકાદો
ગુજરાતના 2002ના ગોધરાકાંડના રમખાણોમાં ઘણા ધાર્મિક સ્થળોને નુકશાન થયું હતું. આ નુકશાનની ભરપાઈ સરકારે કરવી એવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી અરજી.આ અંગે વધુ વાંચો અહીં
ગુજરાતમાં 2002ના થયેલા ગોધરાકાંડના રમખાણોમાં અનેક ધાર્મિક સ્થળોના નુકશાનમાં સરકારી સહાય અંગે નિર્ણય ગુજરાત હાઈકોર્ટે કર્યો હતો. જેને પડકારતા સુપ્રીમ કોર્ટે આ આદેશને નકાર્યો છે. આ મામલે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને પી.સી.પેન્ટનાએ ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, સરકાર લોકોના પૈસા, જે કરના સ્વરૂપમાં સરકાર પાસે આવે છે, તે કોઈ પણ ધાર્મિક સ્થળના સમારકામમાં ખર્ચી નહિં શકે. તેમણે આગળ જણાવ્યું કે, જો સરકારને તેમને સહાય કરવી જ હોય તો એ સ્થળને મંદિર, મસ્જીદ કે ધાર્મિક સ્થળ સમજીને નહિં, પરંતુ કોઈ ઈમારત સમજીને સહાય કરવી.

અત્રે ઉલ્લખનીય છે કે, 2012માં ગુજરાત હાઈકોર્ટે આ અંગે નિર્ણય કર્યો હતો કે, જેમ બીજા સ્થળોના સમારકામ માટે વધુમાં વધુ 50,000 આપવાની વાત હતી તે જ અન્ય ધાર્મિક સ્થળો માટે પણ એ જ રકમ મળશે. ગુજરાત સરકારે આ વાત સ્વીકારી હતી. પરંતુ ઇસ્લામિક રિલિફ સેન્ટરે આ અંગે દલીલ કરતા જણાવ્યું હતું કે, રમખાણોમાં ધાર્મિક સ્થળોની રક્ષા સરકારે કરવાની હોય છે અને જો નુકસાન થાય તો સરકારે જ તેની ભરપાઈ કરવી જોઈએ. આ તમામ દલીલોને સુપ્રીમ કોર્ટે નકારી હતી. વળી, ઇસ્લામિક રિલિફ સેન્ટર દ્વારા રમખાણોમાં નુકસાન પહોંચેલ ધાર્મિક સ્થળોની સંખ્યા 500 દર્શાવી છે, જ્યારે ગુજરાત સરકાર અનુસાર આ સંખ્યા ઘણી ઓછી છે.
-
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
