ભક્તોમાં નારાજગી બાદ એસટીએ અંબાજીથી ગબ્બરનું ભાડુ ઘટાડ્યુ
ભાદરવી પુનમના મેળાની શરૂઆત સાથે જ ગુજરાત એસટી દ્વારા ડબલ ભાડુ વસુલી લૂંટ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી હતી. આ ફરિયાદો બાદ એસટીએ આખરે ભાડુ ઘટાડી દીધુ છે.
મેળાની શરૂઆત બાદ ભક્તોએ ફરિયાદ કરી હતી કે એસટી દ્વારા ગુજરાત ડબલ ભાડુ વસુલવામાં આવી રહ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ સરકાર સુધી પડઘા પડ્યા હતા.

જણાવી દઈએ કે, અંબાજીથી ગબ્બરનું ભાડું સામાન્ય દિવસોમાં 9 રૂપિયા હોય છે. આ ભાડાની જગ્યાએ 20 કરવામાં આવતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી.
હવે એસટી દ્વારા ભાડુ ઘટાડી દેવામાં આવ્યુ છે. મેળાના બીજા દિવસે દિવસે 20 ની જગ્યા 15 રૂપિયા ભાડુ કરી દેવામાં આવ્યુ છે. ભાડામાં 5 રૂપિયાનો વધારો કરાયો છે.












Click it and Unblock the Notifications
