Gyanvapi Case : જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે રિપોર્ટ સાર્વજનિક કરાશે
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, વારાણસી કોર્ટે પક્ષકારોને ASI સર્વે રિપોર્ટ સોંપવાનો નિર્ણય કર્યો છે.
વારાણસી કોર્ટે આદેશમાં કહ્યું કે, ASI રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે અને તેની હાર્ડ કોપી બંને પક્ષકારોને આપવામાં આવે. આ સ્થિતિમાં હવે જ્ઞાનવાપી સર્વે સંબંધિત ASI રિપોર્ટ પક્ષકારોને સોંપવામાં આવશે.

આ સિવાય જ્ઞાનવાપીના તમામ કેસોની આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવી છે. 92 દિવસ સુધી ચાલેલા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
આ સ્થિતિમાં જિલ્લા અદાલતે આ ASI રિપોર્ટને સાર્વજનિક કરવા મામલે 24 જાન્યુઆરીએ મહત્વની સુનાવણી હાથ ધરી હતી. હવે બે-ત્રણ દિવસમાં સર્વે રિપોર્ટ બહાર આવે તેવી શક્યતા છે.
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, આજે કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા અને એ વાત પર સહમતિ સધાઈ કે ASI રિપોર્ટની હાર્ડ કોપી બંને પક્ષોને આપવામાં આવશે. ASI એ ઈમેલ દ્વારા રિપોર્ટ આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે બંને પક્ષો રિપોર્ટની હાર્ડ કોપી મેળવવા માટે સંમત થયા.
તેમણે કહ્યું, કોર્ટે આજે બંને પક્ષોને સાંભળ્યા. બંને પક્ષોને સાંભળ્યા પછી એ વાત પર સહમતિ સધાઈ છે કે ASI રિપોર્ટની પ્રમાણિત નકલ બંને પક્ષકારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોર્ટ આદેશ પસાર કરતાની સાથે જ અમારી કાનૂની ટીમ પ્રમાણિત નકલ માટે અરજી કરશે.
અગાઉ 16 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષના એક અરજદારની અરજીને સ્વીકારી હતી, જેમાં જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સમગ્ર વિસ્તારને સાફ કરવા અને સ્વચ્છતાની સ્થિતિ જાળવવા નિર્દેશ માંગવામાં આવ્યો હતો. જ્યાં કથિત શિવલિંગ મળ્યુ હતું.












Click it and Unblock the Notifications
